________________
૨૯૮
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
નિત્યત્વ (સ્થિરતા), અને નાશ જે પરસ્પર વિરોધી અર્થવાળા જણાય છે. તે બંને એક જ વસ્તુમાં એક સાથે કેવી રીતે સંભવે ? તેને સમજવા માટે ‘નાશ’ની વ્યાખ્યા સમજવી જોઈએ.
→ ‘નાશ’, એ વસ્તુના ‘અસ્તિત્વનો અભાવ’ નથી, પણ ‘રૂપાંતર’ છે ઃ
જૈન તત્ત્વજ્ઞાનમાં કોઈપણ મૂળપદાર્થનો પરિપૂર્ણનાશ, એટલે કે ‘અસ્તિત્વનો અભાવ’ માનેલો નથી. ફૂટી જવાથી ઘડાનો નાશ થયો, ગરમ કરવાથી પાણી ઉડી ગયું. મકાન પડી ગયું - આ બધાને બાહ્યદૃષ્ટિથી ‘નાશ’ કહેવાય છે. પરંતુ સૂક્ષ્મદૃષ્ટિથી નિરીક્ષણ કરતાં તે પરિવર્તન કે રૂપાંતર છે. તેથી નાશ = રૂપાંતર. ઘડો, પાણી, મકાન આદિના બાહ્યસ્વરૂપ કે આકારનો નાશ થાય, ત્યારે ઘડો ફૂટી ગયો, વિગેરે જેવા શબ્દપ્રયોગ થાય છે. વાસ્તવમાં જોતાં ઘડાનું ઠીકરામાં પરિવર્તન થઈ ગયું, પાણીનું વરાળમાં રૂપાંતર થઈ ગયું. મકાનનો આકાર નાશ થયો. તે ઈંટ, માટીનો ઢગલો થઈ ગયો. આ પરિવર્તન છે. આ પરિવર્તન પણ બાહ્યથી દેખાતું મોટુંપરિવર્તન છે. સૂક્ષ્મપરિવર્તન તો દરેક સમયે ચાલું જ છે. આવી નાશની પ્રક્રિયા દરેક પદાર્થમાં દરેક સમયે અવિરત ચાલ્યા જ કરે છે. એક સ્વરૂપ નાશ પામે, એટલે બીજું સ્વરૂપ ઉત્પન્ન થાય છે. આ રીતે વિચારતાં સમજાશે કે, નાશ અને ઉત્પત્તિ સાથે જ થાય છે (બંને એક સિક્કાની બે બાજુ જેવા છે.) અને તે બંનેમાં મૂળપદાર્થ સ્થિર હોય છે. એટલે કે ત્રણે સ્વભાવ પદાર્થમાં સતત વર્ત્યા કરે છે.
જો આ ૩ સ્વભાવ પદાર્થમાં ન હોય તો તે ‘સત્’ ન કહેવાય, ‘અસત્' કહેવાય. ઉત્પત્તિ, નાશ અને સ્થિરતા આ ત્રણે ય મિશ્ર જ હોય. ઉત્પત્તિની સાથે સ્થિરતા અને નાશ હોય જ, નાશની સાથે ઉત્પત્તિ અને સ્થિરતા પણ હોય જ, અને ઉત્પત્તિની સાથે સ્થિરતા અને નાશપણ હોય છે. ટૂંકમાં, ત્રણે પરસ્પર જોડાયેલા છે. એક-બીજા એકબીજા વિના