________________
(૪૯) સૂત્ર-૨૫ અને ૨૬-અણું અને સ્કંધની ઉત્પત્તિ
૨૮૫ ભારે હોય અને સરેરાશ જીવન ૧૦-સેકંડ (૧ સેકંડનો કરોડમા ભાગ જેટલું) હોય છે. જે અંતે નાશ પામી ઈલેકટ્રોનમાં ફેરવાય છે. અત્યાર સુધી તેમાંના ૧૦૦ જેટલા શોધાયા છે.
પ્રોફેસર મેક્સ બોર્ને કહ્યું છે કે “પ્રથમના ચારનું અસ્તિત્વ દૃઢ રીતે સ્થાપિત થયું છે. ઇલેકટ્રોન અને પોઝીટ્રોન બે હલકાં છે. પ્રોટોન અને ન્યૂટ્રોન બે ભારે છે.” આગળ તેઓ ઉમેરે છે કે “આ અત્યંત ઘણા છે. કારણ કે સંભવિત છે કે, એક પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું સંયોજન, ન્યૂટ્રોન આપશે. એક ન્યૂટ્રોન અને એક પોઝીટ્રોન, એક પ્રોટોન આપશે. ન્યૂટ્રોન અથવા પ્રોટોન અવશ્ય સંયુક્ત હોય છે.”
વળી, આ જ પુસ્તકમાં વાંચવા મળે છે કે, એક અણુનો ન્યૂકલીઅસ (nucleus) પ્રોટોન્સ અને ન્યૂટ્રોન્સ તથા ઇલેકટ્રોન્સ અને પ્રોટોન્સ ધરાવે છે. જે નીચે મુજબના રૂપાંતરો થાય ત્યારે ન્યૂકલીઅસમાંથી બહાર ઊડી જાય છે. પ્રોટોન તૂટીને, ન્યૂટોન + પોઝીટ્રોન અને ન્યૂટ્રોન તૂટીને, પ્રોટોન + ઇલેકટ્રોનમાં રૂપાંતર થાય છે.
સંધાતમે સત્યઘને પારદા
અર્થ - સંઘાતથી, ભેદથી, અને સંઘાત-ભેદ ઉભયથી સ્કંધની ઉત્પત્તિ થાય છે.
અલગ અલગ રહેલા બે પરમાણુ મળવાથી દ્વિઅદેશિક સ્કંધ (દ્વયણુક) થાય ત્યારે તે સંઘાતજન્ય કહેવાય. તેજ રીતે સંખ્યાત, અસંખ્યાત, અનંત અને અનંતાનંત પરમાણુ મળવાથી યાવત્ અનંતાનંત પ્રદેશી સ્કંધ (જોડાણથી ઉદ્ભવેલો) સંઘાતજન્ય કહેવાય. કોઈ મોટા સ્કંધ તૂટવાથી નાના સ્કંધ થાય તે ભેદજન્ય (તૂટવાથી થયેલા) હોય છે.
જ્યારે કોઈ એક સ્કંધ તૂટતાં તેના અવયવની સાથે, તે જ સમયે પરમાણુ આદિ કોઈ દ્રવ્ય, જોડાવાથી નવો સ્કંધ બને, તે સંઘાત-ભેદ