________________
૨૭૮
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (જુઓ પૃ. ૧૫૯) હોવાથી લોકમાં અવરોધ કરતું નથી. [૫]સંસ્થાન
સંસ્થાન એટલે આકૃતિ કે રચના. તે અત્યંત્વ અને અનિયંત્વ એમ બે પ્રકારનું છે. જેના આકારની કોઈની સાથે તુલના કરી શકાય તે ઈત્યંત રૂપ. જેમકે ગોળ, ત્રિકોણ, ચતુષ્કોણ, દીર્ઘ, પરિમંડલ (વલયાકાર) વિગેરે જેની કોઈની સાથે તુલના ન થઈ શકે તે અનિત્યંત્વ રૂપ. મેઘ આદિનો આકાર અનિયમિત હોય છે. તેની કોઈની સાથે તુલના દ્વારા ન સમજાવી શકાય. [૬] ભેદ -
એક પિંડ (સ્કંધ) રૂપે પરિણામ પામેલ પુદ્ગલનો વિભાગ થવો, તે ભેદ - તે પાંચ પ્રકારે છે. ઔત્કરિક, ચૌર્ણિક, ખંડ, પ્રતા અને અનુચટન. [૧] તમ - અંધકાર, અને પ્રકાશ, બંને પુગલના પ્રકાર છે. બંને સ્વતંત્ર છે :
અંધકાર પણ યુગલ છે. અંધકાર એ કાળારંગે પરિણામેલા પુદ્ગલોનો સમૂહ છે, પ્રકાશના અભાવરૂપ નથી. તે દિવાલ આદિની જેમ, દૃષ્ટિમાં અવરોધ કરનાર છે. અંધકારના પુદ્ગલો પ્રકાશના કિરણો દ્વારા આચ્છાદિત થઈ જાય ત્યારે દૃષ્ટિમાં અવરોધ કરી શકતા નથી. પ્રકાશના પુદ્ગલોની ગેરહાજરીમાં જ અંધકારના પુદ્ગલો દૃષ્ટિમાં અવરોધ કરી શકે છે.
વર્તમાનવિજ્ઞાન મુજબ અંધકારમાં પણ અલ્પ પ્રમાણમાં પ્રકાશના કિરણો વિદ્યમાન હોય છે. તે ખાસ ફોટોગ્રાફિક પ્લેટ દ્વારા જાણી શકાય છે. પ્રકાશના કિરણોની હાજરી વિના અંધકારમાં ફોટો લેવો શક્ય ન બને. તેથી પ્રકાશની જેમ અંધકારનું અલગ અસ્તિત્વ છે.