________________
(૪૮) સૂત્ર - ૨૪:- પુદ્ગલના અન્ય ૧૦ પ્રકાર
૨૭૭ પાડવા ઘણી મહેનત કરવી પડે તેમ કેટલાક કર્મો ઘણી મહેનતે, ઘણું ફળ આપીને જ છૂટા પડે તેવો બંધ. આ ત્રણ પ્રકારના કર્મ પ્રાયશ્ચિત્ત તપ, જપ, ક્રિયાઓ આદિ વડે ખપાવી શકાય તેવા હોય છે.
૪. નિકાચિત બંધ - હથોડા કૂટીને એકમેક કરેલી સોયો સમાન. જે ઉપયોગમાં ન આવી શકે. તેમાંથી નવી સોયો બનાવવા નવેસરથી મહેનત કરવી પડે, તેમ કર્મો પોતાનું પૂર્ણ ફળ આપ્યા વિના છૂટા પડે જ નહિ. શુભ કે અશુભ પૂર્ણ ફળ આપ્યા પછી જ આત્મા પરથી કર્મો છૂટા પડે, તે નિકાચિત બંધ. [ ૩-૪] સૂક્ષ્મતા અને સ્થૂલતાઃ - સૌમ્ય અને સ્થૌલ્ય બંને બે બે પ્રકારના છે. અંત્ય અને અપેક્ષિક, અંત્ય સૌમ્ય એટલે કે અંતિમ સૂક્ષ્મતા પરમાણમાં છે, આપેક્ષિક સૌમ્ય, એટલે કે મધ્યમ સૂક્ષ્મતા તણુકાદિમાં છે. જેમ ચણુક કરતાં ઢયણક સૂમ, આમળા કરતાં બોર સૂક્ષ્મ છે, ઈત્યાદિ. આ ફકત પુદ્ગલોના સંઘાત પરિણામની અપેક્ષાએ સમજવું. અંત્ય સ્થૌલ્ય - અંતિમ સ્થૂલતા, શાસ્ત્ર કથિત સર્વલોકવ્યાપી મહાત્કંધમાં સમજવી. આ અચિત્ત મહાત્કંધમાં અવયવ વિકાસ (કદ)ની અપેક્ષાએ સ્થૌલ્ય (અતિ વિશાલતા) જાણવું. આ અચિત મહાત્કંધ સૂક્ષ્મ પરિણામી હોય છે, તેથી તેના અસ્તિત્વમાં કોઈ બાધ આવતો નથી. તેજ સમજાવતાં કહ્યું છે કે – વિ ર વી : स्थूलः परिणामः स्यात्, ततो महामहीध्रवत् समस्तं लोकमुत्सादयेदतः સ્થૌલ્વે વિલાસિતાવવાનામરક્ષગમ્ (પ્રકૃત સૂત્ર પર સ્વોપજ્ઞ ભાષ્ય)
અર્થ: જો આ મહાત્કંધ બાદર-પૂલ-પરિણામી હોય તો મોટા વિશાળ પર્વતની જેમ સમગ્ર લોક (વિશ્વ)નો વિનાશ કરી નાખે. તેથી આ આવા વિકાસ પામેલા અવયવોવાળા, આ અચિત્ત મહાત્કંધનું સ્થૌલ્ય ચક્ષુગોચર નથી. આગમમાં તેનું સૂક્ષ્મપરિણામ જ કહ્યું છે, જે ચતુઃસ્પર્શી