________________
(૪૭) સૂત્ર - ૨૩ -પુદ્ગલના ૪ મુખ્ય ગુણધર્મો, સ્પર્શ, રસ... ૨૭૩ પ્રકાશના મોજાની તરંગ લંબાઈ સરેરાશ માણસના વાળના વ્યાસના ૧૦૦મા ભાગની હોય છે. પછીનાની આશરે ૪૦૦મા ભાગની. જો એક પ્રકાશના મોજા બીજા પ્રકાશના મોજાં કરતાં લંબાઈમાં અતિસૂક્ષ્મ પણ બદલાય તો તે જુદા રંગના હોય છે.” - આ રીતે સ્પર્શ, ગંધ, રસ અને વર્ણ, આ ચારેયના દરેકના અનેક ભેદો પડી શકે છે, તે પ્રત્યક્ષપણે વિજ્ઞાનના અવલોકનો દ્વારા જાણી શકાય છે. જૈન શાસ્ત્રોમાં હજુ પણ સૂક્ષ્મતા જણાવતા કહ્યું છે કે, આ ૨૦ ભેદોના પ્રત્યેકના સંખ્યાત, અસંખ્યાત અને અનંત ભેદો છે.
त एते मूलभेदाः प्रत्येकं संख्येयासंख्येयानन्तभेदाश्च भवन्ति । (સર્વાર્થસિદ્ધિ) અર્થ આ મૂળભેદોના પ્રત્યેકના સંખ્ય, અસંખ્ય અને અનંત ભેદો થાય છે.
-> ભગવાન સંસારનું સ્વરૂપ બતાવનાર છે પણ સંસાર બનાવનાર નહિ. – “સુખ મળે તો હું વધારે ધર્મ કરું” આ વાત ધર્મનો પ્રેમ નથી
બોલાવતો, પણ સુખની ભીખ બોલાવે છે. » સંસાર કઠીન છે, મોક્ષ સહેલો છે. પણ શરત એ છે કે, સંસારનો ભય લાગી જવો જોઈએ અને મોક્ષની લગની લાગી જવી જોઈએ.
- પૂ.આ.વિજયરામચન્દ્રસૂ. મ.
-> મન જ્યારે આત્મા સાથે મળે ત્યારે દિવ્યભાવ પ્રગટે છે. - મન જ્યારે, મન સાથે મળે ત્યારે વીરભાવ પ્રગટે છે. – મન જ્યારે દેહ સાથે મળે એટલે પશુભાવ પ્રગટે છે.