________________
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન થાય છે. માટે તેને પંચાંગી આગમ શાસ્ત્ર કહે છે. આ આગમશાસ્ત્રોને આધીન રહીને જૈન શાસનના આચાર્યો ઉપદેશો આપે છે. તે શાસ્ત્રોને આધીન રહીને જ તેમાં દર્શાવેલા માર્ગદર્શન મુજબ ચતુર્વિધ સંઘના સભ્યો - અનુયાયીઓ ધર્મની ક્રિયાઓ, અને તેના નિયમોને પાલનરૂપે આચરણ કરી આત્મશુદ્ધિ કરે છે. જૈન તત્ત્વજ્ઞાનમાં ભગવાન સર્જક નથી, પણ જ્ઞાયક અને પ્રકાશક છે :
તીર્થંકરભગવાને બતાવેલા આગમ (ધર્મશાસ્ત્રો)માં ધર્મનો સાધનામાર્ગ, એટલે ક્રિયાકાંડ ઉપરાંત તત્ત્વજ્ઞાન પણ ખૂબ સુવ્યવસ્થિત અને સુવિસ્તૃત રીતે નિરૂપણ કરાએલું છે. શ્રી તીર્થકર ભગવાન કેવલજ્ઞાન પામી પોતે જ્ઞાનમાં જે વિશ્વનું સ્વરૂપ, અને વિશ્વ વ્યવસ્થાના કાર્ય-કારણના નિયમો જોયા તે બતાવે છે. વિશ્વને પોતે સર્યું નથી કે, તેના નિયમો તેમણે ઘડ્યા નથી. અનાદિ કાળથી વિશ્વ જે રીતે છે, અને જે નિયમો દ્વારા તેમાં પરિવર્તનો (ભૌતિક પદાર્થોના ફેરફારો અને જીવોના જન્મમરણ, સુખ-દુઃખ, સંયોગ - વિયોગ, રાગ દ્વેષ-શોક વિગેરે સર્વે) થઈ રહ્યા છે તેને જગત સમક્ષ પ્રકાશિત કરે છે. આ જ કારણે જૈન તત્ત્વજ્ઞાનમાં ભગવાન સર્જક નથી પણ જ્ઞાયક અને પ્રકાશક છે. શ્રી તીર્થકર ભગવાન અને ધર્મની સ્થાપના :
વર્તમાનમાં જૈન ધર્મના જે આગમશાસ્ત્રો છે તે, ચોવીસમા તીર્થંકર ભગવાન શ્રી મહાવીરસ્વામીએ બતાવેલા છે. તેમાં દર્શાવેલું તત્ત્વજ્ઞાન અને ધર્મના નિયમો, તેમની પૂર્વે થયેલા ૨૩મા શ્રી પાર્શ્વનાથ ભગવાને બતાવેલા હતા. તેમનો સ્થાપેલો સંઘ પણ હતો જ. માત્ર એટલું જ નહિ, તેમની પણ પૂર્વે પ્રથમતીર્થકર શ્રી ઋષભદેવ આદિ રર તીર્થકરોનો સંઘ અને તેમના શાસ્ત્રો પણ ક્રમસર થયા હતા. શ્રીતીર્થંકરભગવાનના આત્માઓ સાધનપૂર્ણ કરી કેવલજ્ઞાની બને તે પછી ૩૪ અતિશયથી યુક્ત વિશિષ્ટ (અલૌકિક) પ્રભાવસંપન્ન બને છે. તેઓ સંઘની પુનઃ સ્થાપના કરે છે, તેઓ