________________
૨૪૦
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અગ્નિની જેમ એકરસ કરવા વડે કર્મો ઉપાર્જન કરે છે. આ લોકાકાશરૂપી વિશ્વમાં સર્વત્ર કાર્મણવર્માણાના પુદ્ગલો વ્યાપીને રહેલા છે. જયાં સુધી જીવ તે પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરી આત્મા સાથે એકમેક કરતો નથી ત્યાં સુધી, તે પુદ્ગલસ્કંધો આત્માને સુખદુઃખાદિ આપવા સમર્થ બની શકતા નથી. પરંતુ આત્મા જે સ્થળમાં છે, તે સ્થળની આસપાસના કાર્મણવર્ગણાના પુદ્ગલસ્કંધોને, મોહજનિત શુભાશુભ ભાવોવડે આકર્ષીને આત્મા સાથે એકમેક કરે છે એટલે તેને કર્મ કહેવાય છે. કર્મગ્રંથમાં કહ્યું છે કે
વિરનિ હેસ્ટિંને તો મન્નg - અર્થ - (મિથ્યાત્વ, કષાય (રાગ, દ્વેષ) આદિ) હેતુએ કરીને, જીવવડે જે કારણે કરાય છે તેથી તેને કર્મ કહે છે. તેલ ચોળેલ શરીરે, તેલની ચીકાશના કારણે ધૂળની રજકણો ચોંટે છે. તે દૃષ્ટાંતથી સમજવું કે મિથ્યાત્વ મોહ, રાગદ્વેષ આદિ જનિત ભાવો (તેલની ચીકાશ જેવા) આત્મામાં હોય છે, તેનાથી હરપળે આત્માને કર્મ ચોટે છે, અને આત્મામાં પરિણામ (એકરસ થઈ રૂપાંતર) પામે છે. જેમાં લીધેલો ખોરાક શરીરમાં રસ, રૂધિર આદિ સાત ધાતુઓમાં પરિણામ પામીને (એકરસ થઈને) વહેંચાઈ જાય છે, તેવી રીતે આત્મા સાથે સંયોગ પામેલા કર્મપુદ્ગલો પરિણામ પામીને જુદા જુદા ૮મુખ્ય પ્રકાર, અને ૧૫૮ પેટાપ્રકારમાં યથાયોગ્ય રીતે વહેંચાઈ જાય છે. આ ૮ પ્રકાર તે ૮ કર્મપ્રકૃતિ અને ૧૫૮ ઉત્તરપ્રકૃતિ તરીકે કર્મગ્રંથમાં ઓળખાવી છે. આ ૮ કર્મોનું બનેલું, તે કાર્યણશરીર છે. કાર્પણ શરીર આત્મા સાથે પ્રવાહની દૃષ્ટિએ અનાદિકાળથી છે. પૂર્વભવમાં ઉપાર્જન કરેલા કર્મો આત્મા સાથે અનેક ભવો સુધી સાથે જાય છે.
૮ કર્મપ્રકૃતિઓ મળે, ૪થા મોહનીય કર્મ સિવાયની પૂર્વોપાર્જિત ૭ કર્મ અને તેની ઉત્તરપ્રકૃતિઓ પરિપાક પામીને ઉદયમાં આવતાં (ભોગ્યકાળમાં) આત્માને બાહ્યદષ્ટિએ સુખ, દુઃખ આદિ શુભાશુભ અવસ્થાઓનો અનુભવ કરાવે છે. પરંતુ આત્મામાં આંતરિક મલિનતા કે અશુદ્ધતા લાવવાનું કાર્ય ૪થું મોહનીયકર્મ કરે છે.