________________
૨૩૬
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન સૂક્ષ્મ શ્વાસોચ્છવાસ છે.
આ સૂત્ર ૧૯માં (૧) શરીર (૨) વાણી (૩) મન આ ત્રણનું વર્ણન કરી છેલ્લે (૪) પ્રાણાપાન-શ્વાસોચ્છવાસ પણ પીદ્ગલિક છે તેમ જણાવ્યું છે. તે વિષે જોઈએ.
પુદ્ગલપદાર્થની ૮ પ્રકારની વર્ગણાઓ પૈકી, ૬ઠ્ઠી શ્વાસોચ્છવાસ વર્ગણા છે. સંસારી શરીરધારી દરેક જીવ આ વર્ગણાના પુદ્ગલ ગ્રહણ કરવા અને મૂકવા વડે શ્વાસોચ્છવાસ કરે છે. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ નામના સાધન વડે જીવ આ કાર્ય કરે છે. આપણે જે નાકના છિદ્રો વડે શ્વાસોચ્છવાસ કરીએ છીએ તે પૂલ શ્વાસોચ્છવાસ છે. શ્વાસોચ્છવાસ વર્ગણાના જે સૂક્ષ્મપુદ્ગલો છે, તે લેવા મૂકવાની ક્રિયા તે સૂક્ષ્મશ્વાસોચ્છવાસ છે. શરીરધારી નાનો કે મોટો વિકસિત કે અવિકસિત દરેક જીવ આ ક્રિયા કરે છે. સંસારી જીવના કુલ ૧૦ પ્રાણો પૈકી શ્વાસોચ્છવાસ એક પ્રાણ છે. તેનાવડે જીવ જીવે છે. તેના વિના કોઈપણ જીવ જીવી જ ન શકે.
આધુનિક વિજ્ઞાન મુજબ શરીરમાં થતી દહનક્રિયા (જે શાસ્ત્રમુજબ તૈજસશરીરનું કાર્ય છે.)માં ઓકસીજન (પ્રાણવાયુ)ની જરૂર પડે છે. તેને શ્વાસ દ્વારા અંદર લેવો તે, અને દહનક્રિયાથી બનેલા કાર્બનડાયોકસાઈડ (અંગારવાયુ)ને બહાર કાઢવો, તેને શ્વાસોચ્છવાસ કહે છે. આ સ્કૂલ શ્વાસોચ્છવાસ છે. જે નાક દ્વારા થાય છે અને વિકસિત જીવો જ કરે છે. પરંતુ શ્વાસોચ્છવાસ, એક પ્રાણ છે. તે સૂક્ષ્મ છે, તે દરેક જીવોને જીવવા માટે આવશ્યક છે.
આ રીતે આ ઓગણીસમાં સૂત્રમાં (૧) શરીર (૫ પ્રકારના) (૨) વાણી (૩) મન અને (૪) શ્વાસોચ્છવાસ, આ સર્વે પુદ્ગલ પદાર્થના જ જુદા જુદા સ્વરૂપો છે. તે જણાવ્યું. આ રીતે પુદ્ગલપદાર્થના કાર્યો જણાવ્યા.