________________
૨૩૪
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ક્યાંય ચાલી જાય છે. દિવસ કે રાત તેને નડતા નથી. ઘણા લોકોની વચ્ચે હોય કે જંગલમાં હોય, તે આકાશ અને પાતાળમાં ફરતું રહે છે.
સંસારના કાર્યોમાં સીધુ ચાલનારું મન, મોક્ષની ઇચ્છાથી જ્ઞાન, ધ્યાન, તપને આરાધો, તો તે અત્યંત વેરી બનીને તમારી સાધનાને અત્યંત અસ્થિર કરી દે છે. ભલભલા જ્ઞાની હઠ કરી મન સ્થિર કરવા મથે તો પણ, આ મન જંગલી પ્રાણીની જેમ વાંકુ બની જાય છે.
જો તેને ઠગ કહીએ તો તે તેવું પણ નથી, કારણ કે કોઈ ઠગ વિદ્યા કરતું દેખાતું નથી. તેને કહેવું હોય તો “સહુમાંહેને સહુથી અળગુ કહી શકાય.
એક રીતે વિચારીએ તો મન નપુંસકલિંગે છે પણ સઘળા મરદોને હંફાવે છે. બીજી રીતે જોવા જાવ તો સમર્થ નર છે. કારણ કે કોઈ નર તેને પકડી શકતો નથી. તેથી જ ઉક્તિ છે કે “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, તે વાત નવિ ખોટી.”
કોઈ કહે કે મેં મન સાધી લીધું, પણ તે વાત ખોટી છે, કારણ કે મન સ્થિર થાય તે જ સૌથી મોટી વાત છે. જો મન સ્થિર થઈ જાય તો તે સંસાર પાર પામી જાય છે. જે આત્માઓ સિદ્ધિપદ પામી ગયા છે, તેઓ આ દુરારાધ્ય મનને વશ કરીને જ થયા છે. હરિહર, બ્રહ્મા આદિ દેવો મનને સાધી શક્યા નથી, માટે સંસાર પાર પામી શક્યા નથી.
-> મન વિષે અન્યચિંતકો -
જેવા વિચારો હશે તેવું મન બનશે. As you think, so you become. ૦ મનનું મૃત્યુ એ ધ્યાન છે.
પરમાત્મામાં મનને જોડવું તે પ્રયત્ન સાધ્ય છે. જ્યારે તેમાં ગાઢતા અને લીનતા થવી તે કૃપા સાધ્ય છે.
મન નાથે તે નાથ, બીજા અનાથ. • સંસારમાં સઘળી ફતેહનો આધાર મનને જીતવા ઉપર છે.