________________
૨૩૦
જૈને તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
મનુષ્યના મગજના આંતરમન, અને બાહ્ય મન, એવા જે બે ભાગો | પાડવામાં આવે છે. તે બંને એક બીજા પર અસર કરે છે, અને હવે માનવામાં આવે છે કે, મનમાં જે ગજગ્રાહ ચાલે છે, તે વાત બરાબર નથી. મગજ સમગ્રપણે જ વિચાર કરે છે.
મગજની બાબતોમાં સંશોધન કરનાર પ્રખ્યાત જર્મન વિજ્ઞાની લોબેન્થલ માને છે કે, “આત્મા જેવી કોઈ ચીજ હયાતી ધરાવે છે. પરંતુ મગજના સંશોધનની વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે તેનો પાર પામી શકીશું નહિ. આવો આત્મા હયાતી ધરાવે છે. પરંતુ એની હયાતી સૂક્ષ્મ છે. આવો આત્મા શરીરમાં શો ભાગ ભજવે છે? તે વિષયમાં ભારતીય તત્ત્વજ્ઞાન ઘણું જ આગળ વધ્યું છે અને અનુભવ, પ્રયોગો, નિરીક્ષણ વિગેરે પરિણામે તેને વિષે ચોક્કસ ખ્યાલો બાંધવામાં આવ્યા છે.
“આ આત્માને સમજવા માટે સ્થૂળ, ભૌતિક વિજ્ઞાન પૂરતું નથી.”
મા. “માનવના વ્યક્તિત્વ વિષે વિચાર કરતાં હાલનું ભૌતિક વિજ્ઞાન ઇન્દ્રિયો, મગજ અને મન સુધી પ્રથમ પહોંચેલું હતું, હવે તે વૈજ્ઞાનિકો પણ મનને પણ જડ માનતા થયા છે. તે કહે છે કે, મનની પાછળ વિચારોનું એકીકરણ કરનાર બુદ્ધિ જ્ઞાન-શક્તિ કામ કરી રહેલી છે. ઉપરાંત બુદ્ધિનીજ્ઞાનની સંગતિઓ કરનાર-પ્રેરક-જ્ઞાતા કોઈ હોવો જોઈએ. જ્ઞાન વ્યાપાર છે. શેય, જ્ઞાનનો વિષય છે, અને જ્ઞાન દ્વારા શેયનો કોઈ જ્ઞાતા-જાણનાર હોવો જ જોઈએ પરંતુ તેના સ્વરૂપનો ખ્યાલ હજી તેઓને આવતો નથી. પરંતુ કહે છે કે, “કાંઈક છે, જે અગમ્ય છે. Something irrational.”
- જેટલી ચીજો મનને બગાડનારી છે. તે છોડવા લાયક અને જેટલી ચીજો.
મનને સુધારનારી છે, તે આદરવાલાયક. - મોટામાં મોટા પાપો કરનાર કોઈ હોય તો તે મન જ છે. મનને આધીન તે સંસારમાં ભટકે, અને મન જેને આધીન તે મુક્તિમાં જાય.
- પૂ.આ.વિજયરામચન્દ્રસૂ. મ.