________________
(૩૮) સૂત્ર - ૧૯:- જીવોનાં પાંચ શરીરો...
૨૦૯
(૩૮) સૂત્ર - ૧૯:- જીવોનાં પાંચ શરીરો (૩) આહારક (૪) તૈજસ અને (૫) કાર્મણ શરીર
આત્માઓની આસપાસ આભામંડળ રચાય છે, જેને Aura કહે છે.
તે તૈજસશરીરનું કાર્ય છે. - માનવનું અદ્ભુત શરીર તો દૂર રહો. એક માખી, મચ્છર કે કીડાનું
શરીર, બનવું એ પણ કુદરતની જ મોનોપોલી છે. -- જીવે ઉપાર્જન કરેલા શુભાશુભ કર્મપુદ્ગલ સ્કંધોનું આવરણ, તે જ
કાર્પણ શરીર છે. -> કર્મવાળા જીવને જ કર્મ લાગે છે. – સઘળી ઉપાધિ, પરિવર્તનો વિગેરે, જડ-ચેતનના (કર્મ-જીવ)
સંયોગને કારણે જ છે.
(શરીર વામનઃ પ્રાણાપના: "ાતાનામ્ IIII)
વિશ્વના સઘળા જીવોના પાંચ પ્રકારના શરીર પૈકી પ્રથમ બે શરીર (૧) ઔદારિક અને (૨) વૈક્રિય શરીરની વિચારણા કરી. હવે ત્રીજું જોઈએ. (૩) આહારકશરીરઃ
યુગલસ્કંધોની ૮ ઉપયોગી વર્ગણામાંની ૩જી આહારક વર્ગણામાંથી આ શરીર બને છે. આ શરીર માત્ર આહારક લબ્ધિવાળા, શુદ્ધચારિત્રનું પાલન કરનારા દૃષ્ટિવાદ નામના ૧૨મા અંગ અને તેની અંતર્ગત “૧૪ પૂર્વ' નામના શ્રુતજ્ઞાન (સંપૂર્ણ શાસ્ત્રજ્ઞાન)ને ધારણ કરનારા, વિશિષ્ટકોટિવાળા મુનિઓ જ બનાવી શકે છે. સર્વ મુનિઓમાં તેઓ બહુઅલ્પસંખ્યામાં જ હોય છે. શ્રુતજ્ઞાનના ચિંતનમાં ઉદ્ભવેલી