SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ન બની શકે, તેવા આત્માઓને વિસામાની જેવો દેવજન્મ અને વૈક્રિયશરીર મળે છે. જેવી રીતે મુસાફરીમાં ગામ દૂર હોય અને પંથ લાંબો હોય તો વચ્ચે વિસામો કરવાની આવશ્યકતા રહે છે. તેવી રીતે જે આત્માઓને પરિપૂર્ણ કર્મનો ક્ષય કરવા માટેની સાધના એકભવમાં પૂરી ન થાય અને ભવપૂરો થઈ જાય, તેવા જીવોને પુણ્યાનુબંધી પુણ્યથી આવો વિસામા જેવો દેવભવ મળે છે. પરંતુ તત્ત્વજ્ઞાનનો બોધ આત્મામાં સ્થિર થયેલો હોવાથી, દેવજન્મના સુખો વચ્ચે પણ આવા આત્માઓ, પરમાત્માના સ્વરૂપ સાથેનું શ્રદ્ધારૂપે સતત અનુસંધાન જાળવી રાખતા હોય છે. તેવા આત્માઓ પોતાનું સાધ્ય ભૂલતા નથી. દેવજન્મના દિવ્યસુખોમાં પણ આવા આત્માઓ અનાસક્ત રહે છે. પુણ્યાનુબંધી પુણ્યનો આવો પ્રભાવ છે. આવા આત્માઓ ફરી મનુષ્યનું ઔદારિકશરીર પ્રાપ્ત કરી સાધના આગળ વધારે છે. આ ક્રમે અલ્પકાળમાં આત્મા સર્વકર્મથી મુક્ત બનતા શરીરરહિત નિરંજન નિરાકાર, શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરી શાશ્વતસુખી બને છે. જન્મ જેવો કોઈ રોગ નથી, સુખ જેવું કોઈ પાપ નથી, અને ઇચ્છા જેવું કોઈ દુઃખ નથી. → સુખમાં રાગ અને દુઃખમાં દ્વેષ - આ બંને ઉપર દ્વેષ થાય, ત્યારથી વૈરાગ્યની શરૂઆત થાય. → જગતમાં કર્મસત્તા એટલી જોરદાર છે, કે તેને મહાસંયમી વિના કોઈ ફેડી શકતું નથી. કર્મ સારાં બાંધવાં કે ખરાબ બાંધવાં, બાંધવાં કે નહિ તે આપણા હાથની વાત છે. - પૂ. આ. વિજય રામચન્દ્રસૂ.મ.સા.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy