________________
(૩૭) સૂત્ર - ૧૯ - જીવોનાં પાંચ શરીરો (૨) વૈક્રિય શરીર-દૈવી શરીર ૨૦૫ પુત્રાદિ પરિવાર, કે તેની પરંપરા હોતી નથી. તેઓને પોત પોતાની કક્ષા અને અધિકાર મુજબ નિશ્ચિત દેવી, સેવકો દેવો તેમજ સ્ફટીકમય વિમાનો (આવાસો), વાવડીઓ, બગીચાઓ, ક્રીડા કરવા માટેની ઋદ્ધિ વિગેરે હોય છે. સ્વામી-સેવકની નિશ્ચિત વ્યવસ્થા હોય છે. દરેક દેવને જન્મથી જે ઋદ્ધિ પ્રાપ્ત થાય તેમાં વધ-ઘટ થતી નથી. તેઓના પાંચે ઇન્દ્રિયોના વિષયોના ભોગો, ગીત, નાટક, સ્ત્રીઓ સાથેની ક્રીડા વિગેરે ચિરકાળ સુધી ભોગવી શકાય છે. બાલ, વૃદ્ધાવસ્થાદિ, નથી, અસંખ્ય વર્ષો (પલ્યોપમ-સાગરોપમ)નું આયુષ્ય હોય છે. આયુષ્યના છેલ્લા છે મહિના શરીર ઉપરની ફૂલની માળા કરમાય છે. શરીરનું તેજ વિગેરે ઘટતા જાય છે. આવી તેઓની વૃદ્ધાવસ્થા સમજવી. બગાસુ કે છીંક માત્ર જેટલી પીડાથી શરીરનો ત્યાગ કરી દે છે. – દેવોનું જીવન -
દેવલોકમાં દેવોને ઉત્પન્ન થવા માટેની ઉપપાત શય્યાઓ નિશ્ચિત સંખ્યાની જ હોય છે. એક દેવ ચ્યવી (મૃત્યુ પામી) જાય પછી શય્યા પર વસ્ત્ર ઢાંકી દેવામાં આવે છે. વધુમાં વધુ છ માસમાં બીજો જીવ ત્યાં અવશ્ય ઉત્પન્ન થઈ જાય છે. પોતાના શરીરની જીવન ક્રિયાઓ માટેની પર્યાપ્તિ અને ઇન્દ્રિયોની રચના (જે વૈક્રિયપુદ્ગલ સ્કંધોની બનેલી હોય છે.) કરીને અંતર્મુહૂર્તમાં યુવાવસ્થા પ્રાપ્ત કરી લે છે. વસ્ત્ર દૂર કરી જીવન શરૂ કરે છે. દેવોના પ્રકારો, તેમનું જીવન, જીવનની ફરજ, જવાબદારી, શિક્ષણ, ઋદ્ધિ, રાજ્ય વિગેરે વ્યવસ્થા. આ દરેકનું વિગતવાર વર્ણન શાસ્ત્રોમાં વિસ્તારથી કરેલું છે. તેઓ મનુષ્યલોકમાં પૃથ્વી પર આવે ત્યારે ઉત્તર (કોઈ પ્રયોજનથી અલ્પકાળ માટે રચેલું બીજું) વૈક્રિયશરીર ધારણ કરીને આવે છે. શ્રી તીર્થંકર ભગવાનના કલ્યાણકોના અવસરે પ્રભુની ભક્તિથી, અને કેટલાક ઈન્દ્રાદિના આદેશથી પૃથ્વી પર આવે છે.