________________
૧૮૫
(૩૪) સૂત્ર - ૧૯ - જીવોના પાંચ શરીરો-દારિક શરીર (૧) ઔદારિક શરીરઃ
મનુષ્ય અને પશુ (તિર્યંચ) આ બે ગતિમાં (અનાદિકાલીન બે શરીર, તૈજસ-કાશ્મણ ઉપરાંત ત્રીજું) ઔદારિક શરીર હોય છે. જે આપણને પ્રત્યક્ષ છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ (જે સ્પર્શ દ્વારા અનુભવાય છે.) વનસ્પતિ આદિ જે દશ્યમાન છે. તે સર્વે તેમજ અળશિયાં, શંખ આદિ (બેઇન્દ્રિય), કીડી, મકોડા આદિ (ઇન્દ્રિય), માખી, મચ્છરાદિ (ચઉરિન્દ્રિય), તેમજ પશુ, પક્ષી, જળચર પ્રાણીઓ સર્વે (પંચેન્દ્રિય), તિર્યંચ (પશુ) ગતિના સર્વે શરીરો ઔદારિક શરીર છે. સંજ્ઞી પંચેન્દ્રિય પશુ, અને મનુષ્ય આદિના શરીરો ગર્ભ કે ઈડા વિગેરેમાં વીર્ય અને રજના સંયોગથી શરીર રચનાને યોગ્ય પરિસ્થિતિ સર્જાતાં, તેમાં આવીને ઉત્પન્ન થયેલા જીવવડે રચના કરાય છે. માખી મચ્છર, કીડાઓ વિગેરે (સંજ્ઞી પંચેન્દ્રિય સિવાયના જીવો)માં તેઓની ઉત્પત્તિની તે તે જીવોની સદેશ યોનિ (તે જીવની શરીર રચનાને યોગ્ય માળખુ -બીજ)ઓમાં ઉત્પન્ન થાય છે. તેમજ વનસ્પતિનો તેના બીજ આદિમાં, તેઓને અનુકૂળ ભેજ, તેમજ પુગલોના સંયોગ આદિ અનુકૂળ પરિસ્થિતિ સર્જાતાં, તેવા પ્રકારના કર્મવાળો જીવ તે યોનિઓમાં પ્રવેશ કરીને તે મુજબના શરીરની રચના કરે છે. જીવ પૂર્વે ઉપાર્જન કરેલા વિવિધ પ્રકારના કર્મોને અનુસાર તે તે યોનિઓમાં પ્રવેશ પામે છે. તે પછી પોતાને જે આનુવંશિક માળખું પ્રાપ્ત થયું હોય તેની મર્યાદામાં રહી શરીર રચના કરે છે. પૂર્વે જણાવેલી ઉપયોગી ૮ વર્ગણામાંથી, પહેલી વર્ગણા, દારિક વર્ગણા (પુલના સ્કંધોની રચનાનો એક વિશિષ્ટ વિભાગ)માંથી જીવ પુદ્ગલસ્કંધોને આહાર વિગેરે દ્વારા ગ્રહણ કરીને શરીર રચના કરે છે. જન્મતાં સૌ પ્રથમ શરીર રચના અને પછી તેની ક્રમસર વૃદ્ધિ અને વિકાસ કેવી રીતે થાય છે તે જોઈએ. ગર્ભમાં ઉત્પન્ન થઈને સૌ પ્રથમ શરીર રચના અને ક્રમસર વૃદ્ધિઃ
મનુષ્ય, દેવ, તિર્યંચ, કે નરક, કોઈપણ ગતિમાં રહેલો જીવ, તે ચાલુ ભવના ભોગવાતા આયુષ્યકર્મના પુગલો હોય ત્યાં સુધી જીવે છે.