________________
૧૭૮
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન નિરંતર વહેતો પ્રવાહ છે. તેનો પ્રારંભ કેવી રીતે હોય? વિગેરે મહત્ત્વના પ્રશ્નો ઉદ્ભવે છે. પૃથ્વી સ્થિર, કે સૂર્ય? -
વિજ્ઞાનના દષ્ટિકોણો કાળક્રમે કેવી રીતે બદલાય છે, તે આ દૃષ્ટાંતથી સમજાશે. “પૃથ્વી સ્થિર છે અને સૂર્ય ફરે છે.” તે Ptolemy (ટોલેમી)નો મત હતો તે પછી “પૃથ્વી ફરે છે અને સૂર્ય સ્થિર છે” તે સિદ્ધાંત Copernicus (કોપરનિકસ)એ આગળ વધાર્યો. “સૂર્યમંડળના અંગોની સંબંધિત ગતિને પ્રાચીન ભૂકેન્દ્રિક પદ્ધતિએ અને બીજી Copernicus એ સમજાવી તે રીતે સમજાવી શકાય. બંને નિર્દોષ અને નિયમિત છે.”
વાસ્તવમાં સ્થિર પૃથ્વી અને ફરતા સૂર્યની માન્યતા આધુનિક ગણિતશાસ્ત્રીઓની મુશ્કેલીને વધારી દે છે. ગણતરીઓનો વ્યવહાર કરવો અઘરો બની જાય છે. તેથી Copernicusનો સ્થિર સૂર્યનો દૃષ્ટિકોણ પસંદ કરાયો છે. પ્રાચીન દૃષ્ટિકોણ દોષિત છે, તેવું નથી. આના અનુસંધાનમાં જર્મનીના ડૉ. schubring નામક વિદ્વાન જે Hamburg Universityના હતા તેમણે ૩૦ જાન્યુઆરી ૧૯૨૮માં જણાવેલ શબ્દો જણાવવા યોગ્ય લાગશે.
જેને વિશ્વના માળખાનું સાચું જ્ઞાન હોય છે જેને વિચારોની એકવાક્યતા અને અંતસ્થ તર્ક સન્માન્યા વિના ન રહી શકે. ઉચ્ચ સ્તરનું ખગોળશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર પરિષ્કૃત થયેલા વિશ્વરચના સંબંધી વિચારો સાથે હળીમળીને આગળ વધે છે. ભારતીય ખગોળવિદ્યાનો ઇતિહાસ પ્રસિદ્ધ સૂર્યપ્રજ્ઞપ્તિ (આગમશાસ્ત્ર) વિના કલ્પી શકાય તેમ નથી.” વિજ્ઞાન સત્યનું અંતિમ નિર્ણયસ્થાન નથી -
અહીં એટલું ખાસ નોંધી રાખવું કે, તીર્થકર ભગવાને બતાવેલ સૃષ્ટિના સિદ્ધાંતો ત્રિકાલાબાધિત છે. કોઈપણ સમયે વિજ્ઞાન અંતિમતાને