________________
(૨૮) સૂત્ર - ૧૫:- આત્મા શરીરમાં સર્વત્ર વ્યાપીને રહેલો છે. ૧૫૩
Protoplasmને પ્રાણીશાસ્ત્ર ચૈતન્યસહિત માને છે. તે પસંદગી કરવાની શક્તિ ધરાવે છે. તે વિદ્યુત ઉત્તેજકની અસર તળે પ્રતિક્રિયા આપવાનો લાક્ષણિક ગુણ ધરાવે છે. સૂક્ષ્મ શરીર રચનાવાળા જંતુઓ, જેને કોષો કહે છે. તે કોષો જે Protoplasm નામના પદાર્થના બનેલા છે તેને વિજ્ઞાન ચૈતન્યથી સહચરિત માને છે. Arthur dendyના મત પ્રમાણે. “Protoplasm તે પ્રાટોઈલ્સ, ખનિજ ક્ષારો, અને પાણીનું મિશ્રણ છે. તેને પસંદગી કરવાની નોંધપાત્ર શક્તિ છે. દા.ત. સમુદ્રના પાણીના એક જ નમૂનામાંથી એક જ હેતુ માટે, એક જંતુ સિલિકા પસંદ કરશે, જ્યારે બીજુ કેલ્શીયમ કાર્બોનેટ.”
પુદ્ગલ પદાર્થનું કોઈપણ સંયોજન ઉપર જણાવ્યો તેવો ગુણ ધરાવતું નથી. Protoplasm એ સ્નિગ્ધ પ્રવાહીનું નામ છે. તે દરેક કોષમાં ચૈતન્ય ધરાવે છે. (જુઓ એક્સપ્લોરીંગ ધ યુનિવર્સ બાય H. ward)
વનસ્પતિ અને પ્રાણી બંનેનું પ્રાથમિક ઘટક Protoplasm રાસાયણિક મિશ્રણો ધરાવે છે. તેમાં Proteids છે. અનસ્ટેબલ પ્રોટેઈડૂસ, પ્રોટોપ્લાઝમની વિશિષ્ટ ક્ષમતાને રચવામાં સહાયક થાય છે. તે ચૈતન્યનો ભૌતિક આધાર છે. જીવના વિવિધ વ્યવહારો જેવા કે ગતિ, ભોજન, શ્વાસોચ્છવાસ અને શ્રમના કાર્યો આના પર જ આધાર રાખે
એક અત્યંત સંવેદનશીલ સાધન વડે ઝીણી કાચની સોય જીવંત કોષમાં પ્રવેશ પામવાથી તેની સંવેદના સૂક્ષ્મદર્શકયંત્રમાં જોઈ શકાય છે. બીજા સંશોધન મુજબ જીવંત શરીરમાંથી થોડા કોષો લેવામાં આવ્યા. તેમને નાના કાચના ખંડમાં, અંદર કોઈપણ જંતુ જવા દીધા વિના, જીવતા રાખ્યા. તેઓ કેટલું લાંબુ જીવે છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું. અત્યંત આશ્ચર્યકારી જીવંત કોષોનો આ અભ્યાસ ચૈતન્ય વિષેની