________________
૧૪૬
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પુદ્ગલનો ચમત્કારી ગુણધર્મ- “સૂક્ષ્મ અવગાહન શક્તિ
અહીં પ્રશ્ન ઉદ્ભવે કે અત્યન્ત સૂક્ષ્મ એવા એક આકાશપ્રદેશમાં એક પરમાણું સમાય, પરંતુ એક જ આકાશ-પ્રદેશમાં બે પરમાણુંઓ પણ, ત્રણ પણ, અને યાવત્ અનંત અણુઓ-વાળોસ્કંધ પણ સમાઈ જાય તે કેવી રીતે શક્ય બને? સામાન્ય રીતે એક આકાશપ્રદેશને, એક પરમાણું રોકી લે છે. બે પરમાણું હોય તો, તે બે આકાશ પ્રદેશ રોકે, ત્રણ, ત્રણને રોકે, તેમ જેટલા પરમાણુઓ હોય તેટલા આકાશ પ્રદેશ રોકાય. પરંતુ એકમાં બે, ત્રણ અને યાવત્ અનંત સમાઈ જાય, તે બુદ્ધિથી સમજાય તેવું નથી. પુગલ પદાર્થનો આ એક વિશિષ્ટ ચમત્કારી ગુણધર્મ છે જેને “સૂક્ષ્મ પરિણામ” અથવા “સૂક્ષ્મઅવગાહન શક્તિ' કહી છે. આ અંગે વિશેષ વિવેચન પૂર્વના લેખ ૧૦ પૃ. ૫૧થી પ૬માં આપણે જોયું છે. લોકમાં પ્રત્યક્ષ કાર્ય-કારણ ભાવ ન સમજાય એટલે ચમત્કાર કહેવાય
છે :
પુદ્ગલનો આ ગુણધર્મ માનવીય બુદ્ધિથી સમજી શકાતો નથી કે તર્કથી પણ સિદ્ધ થઈ શકતો નથી. શાસ્ત્રોમાં તેને શ્રદ્ધગમ્ય કહ્યો છે. જૈનતત્ત્વજ્ઞાન કાર્ય-કારણ ભાવના સિદ્ધાંતને સર્વોપરી તરીકે સ્વીકારે છે. તે ચમત્કારમાં માનતું નથી. જોકે કેટલાક અતીન્દ્રિય પદાર્થોના વિષયમાં દશ્ય કે પ્રત્યક્ષ કાર્ય-કારણભાવ જણાતો નથી, તો પણ નિશ્ચિત કાર્યકારણ ભાવ અવશ્ય હોય છે. તે માનવીય બુદ્ધિથી સમજાતો નથી. તેને અતીન્દ્રિય જ્ઞાનીઓ જ જાણી જોઈ શકે છે. માટે તેના ગુણધર્મો વિગેરે શાસ્ત્રોમાં શ્રદ્ધાગમ્ય કહ્યા છે. પ્રસ્તુત પુગલના ગુણધર્મના વિષયમાં “સૂક્ષ્મ અવગાહન શક્તિના કારણે આ બને છે, જે શાસ્ત્રોમાં જણાવ્યું છે તાત્પર્ય એ છે કે, આ પણ કોઈ ચમત્કાર નથી, પણ જ્યારે તેવા પ્રકારના કારણને આશ્રયીને પુદ્ગલ તેવા ગુણધર્મને અનુસરે ત્યારે જ આમ બને છે. લોકમાં પ્રત્યક્ષ કાર્ય-કારણ ભાવ ન સમજાય એટલે ચમત્કાર કહેવાય છે.