________________
(૨૬) સૂત્ર - ૧૩ :- કાળચક્ર
(૨૬) સૂત્ર - ૧૩ :- કાળચક્ર
૧૩૯
→ કાળચક્રનું વિગતવાર સ્વરૂપ
→ જૈનધર્મ વસ્તુસ્થિતિનું નિદર્શન કરતો હોવાથી શાશ્વત છે. શાસ્ત્રોની શબ્દ રચના માત્ર બદલાય છે.
→ કલિકાલના પડતા ભાવો.
(ધર્માધર્મયો: , શા)
મધ્યલોક :- ૧૪ રાજલોકની ઊંચાઈવાળા વિશ્વના, મધ્યમાં, ૧૮૦૦ યોજન ઊંચાઈ, અને ૧ રાજ પહોળાઈવાળો ગોળાકારે (જુઓ પૃ. ૧૩૫ ચિત્ર) મધ્યલોક છે. અહીં અસંખ્યાત દ્વીપો અને સમુદ્રો આવેલા છે. તેમાંથી ફક્ત મધ્યના (કેન્દ્રમાં આવેલા) રા દ્વીપ (૧લો જંબુદ્વીપ, ૨જો ઘાતકીખંડ, અને જો પુષ્કરદ્વીપ અડધો સુધી)માં મનુષ્યોની ઉત્પત્તિ છે. આ ૨ા દ્વીપમાં જુદા જુદા વિભાગોમાં બધા મળીને કુલ ૧૦૧ મનુષ્યના ક્ષેત્રો છે. ૧૦૧માંની, ૯૧ સિયાની, બાકીની ૧૦ કર્મભૂમિમાં કાળચક્ર ફરે છે. તેનો અર્થ એ કે, ત્યાં ઉત્પન્ન થનારા મનુષ્યોના ઉપરોક્ત આયુષ્યાદિ વધ, ઘટ થયા કરે છે. આ ઉલ્લેખ પૂર્વના લેખમાં કર્યો હતો. હવે આ કાળચક્રના સ્વરૂપને (તેનાથી થતી અસરો - વધ, ઘટ આદિ)ને વિગતવાર જોઈએ.
.
કાળચક્રનું વિગતવાર સ્વરૂપ :- ૧૦ કર્મભૂમિના ક્ષેત્ર પૈકીની, એક કર્મભૂમિ, ભરતક્ષેત્રમાં હમણાં આપણે છીએ. અહીં ક્રમસર અને નિયમિત રીતે કાળની ચડતી પડતી પૈડાના ચક્રના આરાની જેમ થયા કરે છે. જેને કાળચક્ર કહે છે. (જુઓ ચિત્ર)