________________
(૨૧) સૂત્ર - ૭ અને ૮:- સંખ્યાના ૨૧ પ્રકાર
૧૧૫
અનંતના-પપ્રકાર, આ રીતે ર+૯+૫૨)૧૩પ્રકારનું એક ચોક્કસ નિશ્ચિત પ્રમાણ (Fix Amount $ Fix Digit) 24192.
અને મધ્યમ સંખ્યાત, તેમજ ૨, ૫, ૮મું અસંખ્યાત ૨, ૫, ૮ અનંત, આ પ્રકારોમાં, અનેક પ્રકારો (Variable Amount) આવશે.
તેમજ આ સાત પ્રકારો, દરેક તેના પૂર્વના પ્રકારના પ્રમાણ કરતાં, અસંખ્ય ગુણ, અને અનંતગુણ થશે અને છેલ્લો (૨૧મો, ૧ પ્રકાર) તો પ્રરૂપણા માત્ર જ છે. તેટલા અનંતપ્રમાણ વાળી જગતમાં કોઈ વસ્તુ નથી.
જૈન તત્ત્વજ્ઞાનમાં જણાવેલા સંખ્યાના આ પ્રકારો શબ્દોની મર્યાદામાં જેટલું વધુમાં વધુ સમજાવી શકાય તેટલી પૂરેપૂરી સમજ આપતું સુંદર નિરૂપણ છે. ખરેખર લોકનું ગણિત, કે આધુનિક વિજ્ઞાનનું ગણિત, જ્યાં પૂરું થાય છે ત્યાં જૈન તત્ત્વજ્ઞાનનું ગણિત શરૂ થાય છે !
અહીં જણાવેલા સંખ્યાતના ૩, અસંખ્યાતના ૯, અને અનંતના ૯, એ રીતે કુલ સંખ્યાના ૨૧ પ્રકાર બતાવ્યા. બીજી રીતે પણ સંખ્યાના પ્રકારો બતાવેલ છે. તે પ્રકારોને પલ્યોપમ અને સાગરોપમ કહેવાય છે. મનુષ્ય, દેવ, નરકાદિજીવોના સુદીર્ઘ આયુષ્યો માપવા માટે પલ્યોપમ અને “સાગરોપમના માપનો ઉપયોગ થાય છે. તેનું પ્રમાણ બુદ્ધિમાં લાવવા માટે બીજી રીતે ઉપમા દ્વારા તેને સમજાવવામાં આવ્યું છે. (જુઓ પૃ૩૫૮)
જો કે, તે સર્વપ્રકારોનો સમાવેશ ૯ પ્રકારના અસંખ્યાતમાં થઈ જશે. તેથી સંખ્યાના સંભવિત સર્વપ્રકારોનું ખૂબ વ્યાપકપણે બતાવતું આ પ્રરૂપણ છે. ભવિ, અભવિજીવો, શ્રીસિદ્ધિગતિના જીવો આદિ અને પૃથ્વીકાય આદિ જુદી જુદી યોનિઓમાં કેટલા પ્રમાણમાં જીવો છે. તેનો આ માપથી અમુક અંશે આપણને ખ્યાલ આવી શકે છે.
અતિસુવિશાળ વિશ્વને અને તેની અંતર્ગત ત્રણેલોકના ક્ષેત્રોના વિસ્તાર, તેઓ વચ્ચેના અંતર, જીવોના પ્રમાણ આયુષ્ય આદિને માપવા માટે આ સંખ્યાના પ્રકારો એ અદ્ભત ફૂટપટ્ટી છે.