SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન નવભેદોનું પ્રમાણ સમજવા વિવેચનઃ હવે તે નવે ય ભેદો (પ્રકારો)નું પ્રમાણ કેટલું? તે સમજીએ. ૧લું અસંખ્યાત = પૂર્વે વર્ણન કરેલ પ્યાલાની ઉપમા દ્વારા સરસવના જથ્થાનું જે પ્રમાણ આવ્યું હતું તે આ, ૧લું અસંખ્યાત સમજવું. અથવા બીજી રીતે કહીએ તો ઉત્કૃષ્ટ સંખ્યામાં ૧ ઉમેરો એટલે ૧લું અસંખ્યાત આવે. ૪થું અસંખ્યાત = તે ૧લું અસંખ્યાત જે આવે તેને અભ્યાસગુણિત કરો એટલે ૪થું અસંખ્યાત આવે. ૭મું અસંખ્યાત = અને તેને (૪થા અસંખ્યાતને) પણ અભ્યાસગુણિત કરો એટલે ૭મું અસંખ્યાત આવે. ૯મું અસંખ્યાત = તે (૭મા)ને પણ અભ્યાસગુણિત કરો (એટલે ૧લું અનંત આવે.) તેમાંથી ૧ ઓછો કરો એટલે, ૯મું અસંખ્યાત આવે. અભ્યાસગુણિતનો અર્થઃ જે સંખ્યા હોય તેને, તે જ સંખ્યા વડે, તેટલીવાર, ગુણાકાર કરવામાં આવે તેને અભ્યાસગુણિત કહેવાય છે. દા.ત. પાંચનો આંકડો લ્યો. પાંચને, પાંચ વડે, પાંચ વખત, ગુણાકાર કરો (૫૫) તે અભ્યાસગુણિત કહેવાય. પ૪પ૪પ૪પ૪૫ = ૩૧૨૫ થશે. એટલે કે, પનો અભ્યાસગુણિત = ૩૧૨૫ થાય. હવે અહીં જોઈએ તો, ૧લા અસંખ્યાતમાં સરસવના ઢગલામાં જેટલા સરસવ હોય તેટલા (મુખ્ય ઢગલા જેવડા) જુદા જુદા બીજા ઢગલાઓ કરીને, તેઓને પરસ્પર ગુણવાથી જે સંખ્યા આવે તે ૪થું અસંખ્યાત થશે. અને તે રીતે ૭મું અસંખ્યાત, અને ૧લું અનંત આવશે. આ રીતે જોતાં હવે નવેય ભેદોના પ્રમાણને નીચે મુજબ બરાબર સમજી શકાશે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy