________________
૯૫
(૧૮) સૂત્ર-૫:- ત્રણ દ્રવ્યો, અખંડ અને એક છે. (૧૮) સૂત્ર - ૫ - ત્રણ દ્રવ્યો, અખંડ અને એક છે.)
– ધર્માસ્તિકાયને ગ્રીકતત્ત્વજ્ઞાનીઓ વિશ્વરચનામાં જરૂરી માનતા
હતા. ઈથરની માન્યતા. > શુષ્ક તર્કોથી વાદ-વિવાદ દ્વારા વસ્તુતત્ત્વનો નિર્ણય થતો નથી.
માણાવ દ્રવ્ય સૂધ છે
અર્થ: આકાશ સુધી વર્ણવેલા દ્રવ્યો (ધર્મ, અધર્મ, આકાશ) એક છે એટલે કે જેના બે ભાગ ન થઈ શકે તેવા સંપૂર્ણખંડો છે. (One Continuum))
પ્રસ્તુત ગ્રંથના કર્તા શ્રીઉમાસ્વાતિજી વાચક પ્રવર તેમના અન્ય ગ્રંથ શ્રી પ્રશમરતિમાં જણાવે છે કે,
धर्माधर्माकाशान्येकैकमतः परं त्रिकमनन्तम्
અર્થ: ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણ એક છે અને (છ દ્રવ્યોમાં ના પુદ્ગલ, જીવ અને કાળ, આ) બાકીના ત્રણ અનંત છે. ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણે અખંડ દ્રવ્યો છે. તેમાં આકાશ સર્વત્ર વ્યાપ્ત છે, જ્યારે ધર્મ અને અધર્મ આ બે દ્રવ્યો લોકાકાશ જેટલા વિભાગમાં વ્યાપ્ત છે, અને તે બંને પણ અખંડ છે. આજના ગણિતશાસ્ત્રીઓ આકાશને એક અખંડિત ખંડ માને છે “space' શબ્દનો કોષમાં અર્થ પણ આ જ બતાવે છે. ધી સ્ટાન્ડર્ડ ઓકસફર્ડ ડિક્ષનેરીમાં આકાશની વ્યાખ્યા - “Continuous extension viewed with or without reference to the existance of objects within it” (તેની અંદરના પદાર્થના અસ્તિત્વના સંબંધ સહિત, અથવા સંબંધ વિના એક સતત વિસ્તાર).