SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ (૧૮) સૂત્ર-૫:- ત્રણ દ્રવ્યો, અખંડ અને એક છે. (૧૮) સૂત્ર - ૫ - ત્રણ દ્રવ્યો, અખંડ અને એક છે.) – ધર્માસ્તિકાયને ગ્રીકતત્ત્વજ્ઞાનીઓ વિશ્વરચનામાં જરૂરી માનતા હતા. ઈથરની માન્યતા. > શુષ્ક તર્કોથી વાદ-વિવાદ દ્વારા વસ્તુતત્ત્વનો નિર્ણય થતો નથી. માણાવ દ્રવ્ય સૂધ છે અર્થ: આકાશ સુધી વર્ણવેલા દ્રવ્યો (ધર્મ, અધર્મ, આકાશ) એક છે એટલે કે જેના બે ભાગ ન થઈ શકે તેવા સંપૂર્ણખંડો છે. (One Continuum)) પ્રસ્તુત ગ્રંથના કર્તા શ્રીઉમાસ્વાતિજી વાચક પ્રવર તેમના અન્ય ગ્રંથ શ્રી પ્રશમરતિમાં જણાવે છે કે, धर्माधर्माकाशान्येकैकमतः परं त्रिकमनन्तम् અર્થ: ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણ એક છે અને (છ દ્રવ્યોમાં ના પુદ્ગલ, જીવ અને કાળ, આ) બાકીના ત્રણ અનંત છે. ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણે અખંડ દ્રવ્યો છે. તેમાં આકાશ સર્વત્ર વ્યાપ્ત છે, જ્યારે ધર્મ અને અધર્મ આ બે દ્રવ્યો લોકાકાશ જેટલા વિભાગમાં વ્યાપ્ત છે, અને તે બંને પણ અખંડ છે. આજના ગણિતશાસ્ત્રીઓ આકાશને એક અખંડિત ખંડ માને છે “space' શબ્દનો કોષમાં અર્થ પણ આ જ બતાવે છે. ધી સ્ટાન્ડર્ડ ઓકસફર્ડ ડિક્ષનેરીમાં આકાશની વ્યાખ્યા - “Continuous extension viewed with or without reference to the existance of objects within it” (તેની અંદરના પદાર્થના અસ્તિત્વના સંબંધ સહિત, અથવા સંબંધ વિના એક સતત વિસ્તાર).
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy