________________
(૧૬) સૂત્ર-૩ઃ- પાંચ દ્રવ્યો નિત્ય, સ્થિર અને અરૂપી છે, હંમેશા ભટકતું જ રહેતું હોય છે, તે દરેકનો અનુભવ છે. શરીર અને ઇન્દ્રિયો નિમિત્ત છે, પણ આત્માને કર્મબંધનું કારણ મુખ્યપણે મન જ છે, અને આ મનને જો સાધી લેવામાં આવે, અધ્યાત્મમાં સ્થિર કરી દેવામાં આવે, તો તે જ મન આત્માને કર્મોમાંથી મુક્તિ અપાવનાર છે માટે જ કહ્યું છે કે
मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः । અર્થ - કર્મબંધ અને મોક્ષનું કારણ મન જ છે. મનને સાધવા માટે ગીતામાં આવી જ વાત કરી છે.
चंचल हि मनः कृष्ण प्रमाथि बलवत् दृढम् । तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ।। असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् ।
अभ्यासेन तु कौन्तेय ! वैराग्येण च गृह्यते ॥ । અર્જુન શ્રીકૃષ્ણને પૂછે છે – “હે કૃષ્ણ ! આ ચંચળ મન, દ્રઢ અને બળવત્ દુઃખ આપનાર છે. તેને કાબૂમાં લેવું વાયુની જેમ ખૂબદુષ્કર છે.” શ્રીકૃષ્ણ જવાબ આપે છે – “હે મહાબાહુ ! ચલ એવું મન, દુઃખે કરી નિગ્રહ કરી શકાય છે, તે વાત સંશય વિનાની છે. પરંતુ અભ્યાસ અને વૈરાગ્યવડે મનને ગ્રહણ કરવું-કાબુમાં રાખવું-શક્ય બને છે.
શ્રીતત્ત્વાર્થસૂત્રમાં આ વાતને સર્વાગીણ સ્વરૂપે જ્ઞાનશિયાખ્યામ મોક્ષ. આ સૂત્રવડે સમજાવી છે.
અર્થ - જ્ઞાન વૈરાગ્ય), અને ક્રિયા (અભ્યાસ) વડે મોક્ષ છે. દર્શન, જ્ઞાન, ચારિત્રના આચારોના ક્રિયાકલાપનો વિસ્તાર ઉપયોગ-પૂર્વક (એકાગ્રતાથી) સાધવાથી મનને અધ્યાત્મમાં સ્થિર કરી શકાય છે. શાંતિનો અનુભવ થાય છે. એક લૌકિક દ્રષ્ટાંત જોઈએ.
એક રાજકુમારી જ્ઞાની પાસે ગઈ અને મનની શાંતિનો ઉપાય