SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) સૂત્ર-૩ઃ- પાંચ દ્રવ્યો નિત્ય, સ્થિર અને અરૂપી છે, હંમેશા ભટકતું જ રહેતું હોય છે, તે દરેકનો અનુભવ છે. શરીર અને ઇન્દ્રિયો નિમિત્ત છે, પણ આત્માને કર્મબંધનું કારણ મુખ્યપણે મન જ છે, અને આ મનને જો સાધી લેવામાં આવે, અધ્યાત્મમાં સ્થિર કરી દેવામાં આવે, તો તે જ મન આત્માને કર્મોમાંથી મુક્તિ અપાવનાર છે માટે જ કહ્યું છે કે मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः । અર્થ - કર્મબંધ અને મોક્ષનું કારણ મન જ છે. મનને સાધવા માટે ગીતામાં આવી જ વાત કરી છે. चंचल हि मनः कृष्ण प्रमाथि बलवत् दृढम् । तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ।। असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् । अभ्यासेन तु कौन्तेय ! वैराग्येण च गृह्यते ॥ । અર્જુન શ્રીકૃષ્ણને પૂછે છે – “હે કૃષ્ણ ! આ ચંચળ મન, દ્રઢ અને બળવત્ દુઃખ આપનાર છે. તેને કાબૂમાં લેવું વાયુની જેમ ખૂબદુષ્કર છે.” શ્રીકૃષ્ણ જવાબ આપે છે – “હે મહાબાહુ ! ચલ એવું મન, દુઃખે કરી નિગ્રહ કરી શકાય છે, તે વાત સંશય વિનાની છે. પરંતુ અભ્યાસ અને વૈરાગ્યવડે મનને ગ્રહણ કરવું-કાબુમાં રાખવું-શક્ય બને છે. શ્રીતત્ત્વાર્થસૂત્રમાં આ વાતને સર્વાગીણ સ્વરૂપે જ્ઞાનશિયાખ્યામ મોક્ષ. આ સૂત્રવડે સમજાવી છે. અર્થ - જ્ઞાન વૈરાગ્ય), અને ક્રિયા (અભ્યાસ) વડે મોક્ષ છે. દર્શન, જ્ઞાન, ચારિત્રના આચારોના ક્રિયાકલાપનો વિસ્તાર ઉપયોગ-પૂર્વક (એકાગ્રતાથી) સાધવાથી મનને અધ્યાત્મમાં સ્થિર કરી શકાય છે. શાંતિનો અનુભવ થાય છે. એક લૌકિક દ્રષ્ટાંત જોઈએ. એક રાજકુમારી જ્ઞાની પાસે ગઈ અને મનની શાંતિનો ઉપાય
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy