SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ આપણું પુણ્ય અને સામી વ્યક્તિની પાત્રતા જોઈએ અને આ બંને વસ્તુ પરાધીન છે. તો શા માટે પરાધીન વસ્તુમાં ફાંફા મારવા ? જ્યારે ફરજનું પાલન કરવા માટે વિવેક અને જાગૃતિ જોઈએ અને બહુ આશાસ્પદ વાત એ છે કે આ બંને વસ્તુ સ્વાધીન છે. તો શા માટે તેની અવગણના કરવી ? રણનું પાણી દુર્લભ હોવાથી કોઈ વેડફતું નથી. તેમ મનુષ્યનું આયુષ્ય પણદુર્લભ અને પરિમિત હોઈ તેને અધિકારની પ્રાપ્તિ પાછળ વેડફવું એ રણનું પાણી ગટરમાં નાંખવા બરાબર છે. અધિકાર જ જોઈતો હોય તો પ્રાજ્ઞ પુરુષે બધી શક્તિ આત્માને પરમાત્મા બનાવવા માટે વાપરવાની છે. તે માટે જ સૌએ મનની માવજત કરવાની છે ને તેના ઘણાં સુંદર ફળો મળે છે. (IV) મનને છેલ્લો ઓર્ડર આપવાનો છે કે તારે પ્રત્યેક પ્રસંગોમાં આત્માના હિત માટે પ્રવર્તવાનું છે. કોઈ પણ નિમિત્તને આગળ કરી, તેનો વાંક કાઢી (૧૯)
SR No.006123
Book TitleManni Mavjat Ane Dharti Parnu Swarga
Original Sutra AuthorN/A
AuthorNandiyashashreeji
PublisherAnilaben A Dalal
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy