________________
ii) કર્મ દશ્ય આપે છે. ધર્મ દષ્ટિ આપે છે.
બાવીસ વર્ષે બેન વિઘવા થઈ. આમાં કર્મ જવાબદાર છે. પણ બેન હવે, “બ્રહચર્યને માણવાની તક મળી” એવી દૃષ્ટિ કેળવી લે તો તેનું દુઃખ હળવું બની જાય છે.
એક વિધેયાત્મક વિચાર તમારી positivity અને દુનિયાભરની positivity ને આકર્ષે છે અને એક negativity દુનિયાભરની અને તમારી પોતાનીnegativity નેattract કરે છે, આકર્ષે છે.
ઘર્મ અને કર્મનું ગણિત સ્પષ્ટ રીતે સમજી લો. જ ભૂતકાળના કર્મો સ્ટોકમાં છે તો કષ્ટ આવવાના જ છે અને જો વર્તમાનમાં ઘર્મ હાથમાં છે તો નવા કર્મો નથી જ બંધાવાના. (III) લગભગ માનવીનું મન અધિકાર પાછળ દોડતું હોય છે. તેને સાચી સમજણ આપીને હુકમ કરવાનો છે કે તારે અધિકાર પાછળ દોડવાનું નથી અને ફરજને અવગણવાની નથી. આ નિર્દેશ પાછળ બહુ સુંદર ગણિત છે કે અધિકારની પ્રાપ્તિ માટે
(૧૮)