SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩. (૨૫૩ થી ૨૫૬) જે એમ માને છે કે માર્ચ પોતાથી હું (૫૨) જીવોને દુઃખીસુખી કરું છું, તે મૂઢ (મોહી) છે, અજ્ઞાની છે, અને આનાથી વિપરીત તે જ્ઞાની છે. જો સર્વ જીવો કર્મના ઉદયથી દુઃખીસુખી થાય છે, અને તું તેમને કર્મ તો દેતો નથી, તો તેં તેમને દુઃખીસુખી કઈ રીતે કર્યો? જો સર્વ જીવો કર્મના ઉદયથી દુઃખીસુખી થાય છે. અને તેઓ તને કર્મ તો દેતા નથી, તો તેમણે તને દુઃખી કઈ રીતે ર્યો? જો સર્વ જીવો કર્મના ઉદયથી દુઃખીસુખી થાય છે, અને તેઓ તને કર્મ તો દેતા નથી, તો તેમણે તને સુખી કઈ રીતે-ર્યો? ૨૫૭. (૨૫૭ અને ૨૫૮) જે મરે છે અને દુઃખી થાય છે તે સો કર્મના ઉદયથી થાય છે; તેથી 'મેં માર્યો, મેં દુઃખી ર્યો' એવો તારો અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી? જે નથી મરતો અને નથી દુઃખી થતો તે પણ ખરેખર કર્મના ઉદયથી થાય છે; તેથી 'મેં ન માર્યો, મેં ન દુઃખી કર્યો' એવો તારો અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી? ૨૫૯. તારી જે આ બુદ્ધિ છે કે હું જીવોને દુઃખીસુખી કરું છું. તે આ તારી મૂઢ બુદ્ધિ જ શુભાશુભ કર્મને બાંધે છે. ૨૬૦. (૨૬૦ અને ૨૬૧) 'હું જીવોને દુઃખીસુખી કરું છું' આવું જે તારું અધ્યવસાન (વૈભાવિક પરિણમન) તે જ પાપનું બંધક અથવા પુણ્યનું બંધક થાય છે. ‘હું જીવોને મારું છું અને જિવાડું છું' આવું જે તારું અધ્યવસાન (વૈભાવિક પરિણમન) તે જ પાપનું બંધક અથવા પુણ્યનું બંધક થાય છે. ૨૭૨, જીવોને માથે અથવા ન મારો - કર્મબંધ અધ્યવસાનથી જ થાય છે. આ નિશ્ચયનયે, જીવોના બંધનો સંક્ષેપ છે. ૨૬૩. (૨૬૩ અને ૨૭૪) એ રીતે અસત્યમાં, અદત્તમાં, અબ્રહ્માચર્યમાં અને પરિગ્રહમાં જે અધ્યવસાન કરવામાં આવે છે તેનાથી પાપનો બંધ થાય છે અને તેવી જ રીતે સત્યમાં, દત્તમાં, બ્રહ્મચર્યમાં અને અપરિગ્રહમાં જે અધ્યવસાન કરવામાં આવે તેનાથી પુણ્યનો બંધ થાય છે. ૨૬૫. વળી, જીવોને જે અધ્યવસાન થાય છે તે વસ્તુને અવલંબીને થાય છે તોપણ વસ્તુથી બંધ નથી. અધ્યવસાનથી જ બંધ છે. ૨૬૬. હું જીવોને દુઃખીસુખી ક્યું છું, બંધાવું છું તથા મુકાવું છું. એવી જે આ તારી મૂઢ મતિ છે તે નિર્થક હોવાથી ખરેખર મિથ્યા છે. ૨૭૭. જો ખરેખર અધ્યવસાનના નિમિત્તે જીવો કર્મબંધથી બંધાય છે અને મોક્ષમાર્ગમાં સ્થિત મુકાય છે, તો તું શું રે છે? ૨૬૮. (૨૬૮ અને ૨૬૯) જીવ અધ્યવસાનથી તિર્યંચ, નાક, દેવ અને મનુષ્ય એ સર્વ પર્યાયો, તથા અનેક પ્રકારનાં પુણ્ય અને પાપ – એ બધારૂપ પોતાને રે છે, વળી તેવી રીતે જીવ અધ્યવસાનથી ધર્મ-અધર્મ, જીવ–અજીવ અને લોક–અલોક – એ બધારૂપ પોતાને કરે છે. ૨૭૦. આ તથા આવા બીજા પણ અધ્યવસાન જેમને નથી, તે મુનિઓ અશુભ કે શુભ કર્મથી લેપાતા નથી. ૨૭૧. બુદ્ધિ. વ્યવસાય, અધ્યવસાન, મતિ, વિજ્ઞાન, ચિત્ત, ભાવ અને પરિણામ – એ બધા એકાર્થ જ છે. ૨૭૨. એ રીતે વ્યવહારનય (પર આશ્રિત) નિશ્ચય (સ્વઆશ્રિત) વડે નિષિદ્ધ જાણ; નિશ્ચયનયને આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે. ૨૭૩, (૨૭૩ થી ૨૭૫) જિનવરોએ કહેલાં વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ કરતાં છતાં પણ અભવ્ય જીવ અજ્ઞાની અને મિથ્યાદષ્ટિ છે. મોક્ષને નહિ તો એવો જે અભવ્યજીવ છે તે શાસ્ત્રો તો ભણે છે. પરંતુ જ્ઞાનને નહિ શ્રદ્ધતા એવા તેને શાખપઠન ગુણ કરતું નથી. જે ભોગના નિમિત્તરૂપ ધર્મને જ શ્રદ્ધે છે, તેની જ પ્રતીતિ રે છે, તેની જ રૂચિ કરે છે અને તેને જ સ્પર્શે છે, પરંતુ કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નહિ. ૨૭૬. (૨૭૬ અને ૨૭૭) આચારાંગ આદિ શાસ્ત્રો તે જ્ઞાન છે, જીવ આદિ તત્વો તે દર્શન જાણવું અને છ જીવનિકાય તે ચારિત્ર છે – એમ તો વ્યવહારનય ક્લે છે. નિશ્ચયથી માર્ચે આત્મા જ જ્ઞાન છે, માર્ચ આત્મા જ દર્શન અને ચારિત્ર છે, માર્ચ આત્મા જ પ્રત્યાખ્યાન છે, માટે આત્મા જ સંવર અને યોગ (ધ્યાન, સમાધિ) છે. ૨૭૮. (૨૭૮ અને ૨૭૯) જેમ સ્ફટિમણિ શુદ્ધ હોવાથી સગાદિરૂપે પોતાની મેળે પરિણમતો નથી પરંતુ અન્ય રક્ત આદિ દ્રવ્યો વડે તે રક્ત આદિ રાય છે, તેમ જ્ઞાની અર્થાત્ આત્મા શુદ્ધ હોવાથી ચાદરૂપે પોતાની મેળે પરિણમતો નથી પરંતુ અન્ય રાગાદિ દોષો વડે તે ચગી આદિ શ્ર્ચય છે. ૨૮૦. જ્ઞાની સગદ્વેષમોહને કે કષાયભાવનેં પોતાની મેળે પોતામાં તો નથી તેથી તે, તે ભાવોનો કારક () નથી. ૨૮૧.ગ, દ્વેષ અને કષાયકર્મો હોતાં (તે ઉદય થતાં) જે ભાવો થાય છે તે-રૂપે પરિણમતો અજ્ઞાની શંગાદિક ફરીને પણ બાંધે છે. ૨૨૦ શ્રી સમયસાર...... ૧૧
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy