SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) (૫) (૬) T :) (૭) અનંત દુઃખની દશા તે સંસાર છે, એનાથી વિપરીત અનંત (૧૦) (૧) (૨) 3) (<) નિજ ભગવાન આત્મા જેમાં જ્ઞાન ને આનંદ પૂર્ણ સ્વભાવ પડયાં છે એની જેને ષ્ટિ થઈ છે; વસ્તુ પૂર્ણ શુધ્ધ પૂર્ણાનંદમય છે તેનું જેને જ્ઞાન થયું છે અને અંતરમાં રમણતારૂપ જેને આચરણ પ્રગટ થયું છે તે મોક્ષાર્થી છે. (૪) - (૫) નિયમસારમાં પૂર્ણ અતીન્દ્રિય આનંદનો આત્મલાભ તેને મોક્ષ કહ્યો છે, અનંત આનંદની દશા અથવા પૂર્ણ આનંદનો લાભ તેનું નામ મોક્ષ છે; અને મોક્ષનો જે અર્થી છે તે મોક્ષાર્થી છે. આવા મોક્ષનો અર્થી કોણ છે ? (૬) પૂરણ આનંદસ્વરૂપ જે મોક્ષ તેના કારણરૂપ જે માર્ગ, જે અતીન્દ્રિય આનંદના સ્વાદરૂપ છે તે માર્ગમાં જે સ્થિત છે તે મોક્ષમાર્ગી મોક્ષાર્થી છે. અને મોક્ષ માટે જે નિરંતર મથે છે તે સમ્યગ્દષ્ટિ ધર્માત્મા મોક્ષ જેનું પ્રયોજન છે મોક્ષાર્થી છે. પૂરણ આનંદની દશા તે મોક્ષ છે. અને જેમાં કિંચિત્ આનંદની દશા અને કંઈક દુઃખની દશા છે એવી સાધક દશા તે મોક્ષાર્થી છે. જેના ચિત્તનું ચરિત્ર અર્થાત્ આચરણ ઉદાત્ત, (ઉદાર), ઉચ્ચ, ઉજ્જવળ છે. અહા ! ક્ષણે ક્ષણે એના આનંદની રમણતા વધતી જાય છે તે મોક્ષાર્થી છે. વસ્તુ ભગવાન આત્મા શુધ્ધ ચેતના સ્વરૂપ છે, તેમાં અંતર એકાગ્ર થઈ તેમાં રમવું, ચરવું, ઠરવું તે જ્ઞાનનું આચરણ છે. મોક્ષાર્થીને આવું આચરણ છે. જ્ઞાનનું ચારિત્ર એટલે વીતરાગી ચારિત્ર. - (૭) અપરાધી અને નિરપરાધી જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે તે અપરાધી છે, તેથી બંધમાં પડે છે. પરદ્રવ્ય એટલે વ્રત, તપ, ભક્તિ, દયા, દાન આદિ પરભાવોને જે પોતાના માની ગ્રહણ કરે છે એ અપરાધી એટલે ગુન્હેગાર છે. દેવ - ગુરુ શાસ્ત્રની શ્રધ્ધાનો રાગ, શાસ્ત્ર ભણતરનો રાગ, પાંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિ વ્યવહાર રત્નત્રયનો રાગ કે જેને ધર્મ પુરુષ પરદ્રવ્ય જાણે છે તેને પોતાનું માનવું તે અપરાધ - ગુન્હો છે, અને એવો અપરાધી જીવ બંધનમાં પડે છે. ભાઈ ! જેટલા વ્યવહારના વિકલ્પો ઉત્પન્ન થાય છે તે બધા પરદ્રવ્ય છે. તેને ભલા અને સ્વદ્રવ્ય જાણે છે તે ગુન્હેગાર - ચોર અપરાધી છે. વાંછતો નથી પણ નિત્યાનંદ તૃપ્ત રહે છે તે નિરપરાધી છે. - જે સ્વદ્રવ્યમાં જ સંવૃત છે એવો યતિ નિરપરાધી છે, તેથી બંધાતો નથી. જે સ્વદ્રવ્યમાં જ સંતુષ્ટ થઈ રમે છે તે નિરપરાધી છે. જે ૫૨દ્રવ્ય પરભાવને સહજાનંદ સ્વરૂપ સ્વદ્રવ્યમાં જ ગુપ્ત થઈ તૃપ્ત = - - કેટલાક કહે છે અત્યારે આ કાળમાં આ ક્ષેત્રમાં શુધ્ધ ઉપયોગ નથી, માટે પુણ્ય એ જ ધર્મ છે. આટલું જ કરી શકાય એમ છે. અરે ! તું શું કહે છે ભાઈ?
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy