SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ છે 'ગલિતમાનકષાય, મોહ વિનષ્ટ થઈ સમચિત્ત છે, તે જીવ ત્રિભુવનસાર બોધિ લહે જિનેશ્વરશાસને. ૭૮. ૧. ગલિતમાનકષાય = જેનો માનકષાય નષ્ટ થયો છે એવો. ૨. સમચિત્ત = જેનું ચિત્ત સમભાવવાળું છે એવો. ૩. ત્રિભુવનસાર = ત્રણ લોકમાં સારભૂત. विसयविरत्तो समणो छद्दसवरकारणाइं भाऊण । तित्थयरणामकम्मं बंधइ अइरेण कालेण ॥ ७९ ॥ વિષયે વિરત મુનિ સોળ ઉત્તમ કારણોને ભાવીને, બાંધે 'અચિર કાળે કરમ તીર્થંકરત્વ - સુનામને. ૭૯. ૧. અચિર કાળે = અલ્પ કાળે. बारसविहतवयरणं तेरसकिरियििाउ भाव तिविहेण । धरहि मणमत्तदुरियं णाणंकुसएण मुणिपवर ॥ ८० ॥ તું ભાવ બાર-પ્રકાર તપ ને તેર કિરિયા `ત્રણવિધે, વશ રાખ મન-ગજ મત્તને મુનિપ્રવર ! જ્ઞાનાકુંશ વડે. ૮૦. ૧. ત્રણવિષે – ત્રણ પ્રકારે અર્થાત્ મન-વચન-કાયાથી. = ૨. મન-ગજ મત્તને = મનરૂપી મદમાતા હાથીને. पंचविहचेलचायं खिदिसयणं दुविहसंजमं भिक्खू । भावं भावियपुव्वं जिणलिंगं णिम्मलं सुद्धं ॥ ८१ ॥ 'ભૂશયન, ભિક્ષા, દ્વિવિધ સંયમ, પંચવિધ-પટત્યાગ છે, છે ભાવ ભાવિતપૂર્વ, તે જિનલિંગ નિર્મળ શુદ્ધ છે. ૮૧. ૧. ભૂશયન = ભૂમિ પર સૂવું તે. ૨. પંચવિધ -પટત્યાગ = પાંચ પ્રકારના વસ્ત્રોનો ત્યાગ. ૩. છે ભાવ ભાવિતપૂર્વ = જ્યાં ભાવ (શુદ્ધ ભાવ) પૂર્વે ભાવવામાં આવ્યો હોય છે; જ્યાં પહેલાં યથોચિત શુદ્ધભાવરૂપ પરિણમન થયું હોય છે. जह रयणाणं पवरं वज्जं जह तरुगणाण गोसीरं । तह धम्माणं पवरं जिणधम्मं भाविभवमहणं ॥ ८२ ॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy