SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૩ રે!વચનમય પ્રતિક્રમણ, નિયમો, વચનમય પચખાણજે, જે વચનમય આલોચના, સઘળું ય તે સ્વાધ્યાય છે. ૧૫૩. અર્થ :વચનમય પ્રતિક્રમણ, વચનમય પ્રત્યાખ્યાન, (વચનમય) નિયમ અને વચનમય આલોચના-એ બધું (પ્રશસ્ત અધ્યવસાયરૂપ) સ્વાધ્યાય જાણ. जदि सक्कदि कार्टु जे पडिकमणादिं करेज्ज झाणमयं । सत्तिविहीणो जा जइ सद्दहणं चैव कायव्वं ॥ १५४ ॥ કરી જો શકે, પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો ! કર્તવ્ય છે શ્રદ્ધા જ, શક્તિવિહીન જો તું હોય તો. ૧૫૪. અર્થ : જો કરી શકાય તો અહો ! ધ્યાનમય પ્રતિક્રમણાદિ કર; જો તું શક્તિવિહીન હોય તો ત્યાં સુધી શ્રદ્ધાન જ કર્તવ્ય છે. जिणकहियपरमसुत्ते पडिकमणादिय परीक्खऊण फुडं । मोणव्वए जोई णियकज्जं साहए णिच्चं ।। १५५ ।। પ્રતિક્રમણ-આદિ સ્પષ્ટ પરખી જિન-પરમસૂત્રો વિષે, મુનિએ નિરંતર મૌનવ્રત સહ સાધવું નિજ કાર્યને. ૧૫૫. અર્થ : જિનકથિત પરમ સૂત્રને વિષે પ્રતિક્રમણાદિકની સ્પષ્ટ પરીક્ષા કરીને મૌનવ્રત સહિત યોગીએ નિજ કાર્યને નિત્ય સાધવું. जीवा णाणाकम्मं णाणाविहं हवे लद्धी । तम्हा वयणविवादं सगपरसमएहिं वज्जिज्जो ॥ १५६ ॥ છેજીવવિધવિધ, કર્મ વિધવિધ, લબ્ધિછેવિધવિધ અરે ! તે કારણે નિજપરસમય સહ વાદ પરિહર્તવ્ય છે. ૧૫૬. અર્થ :નાના પ્રકારના જીવો છે, નાના પ્રકારનું કર્મ છે, નાના પ્રકારની લબ્ધિ છે; તેથી સ્વસમયો અને પરસમયો સાથે (સ્વધર્મીઓ અને પરધર્મીઓ સાથે) વચનવિવાદ વર્જવાયોગ્ય છે. लद्धूणं णिहि एक्को तस्स फलं अणुहवेइ सुजणत्ते । तह णाणी णाणणिहिं भुंजेइ चइत्तु परतत्तिं ॥ १५७॥ નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે, ત્યમ જ્ઞાની પરજનસંગ છોડી જ્ઞાનનિધિને ભોગવે. ૧૫૭.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy