SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ અર્થ ઃ પર વડે દેવામાં આવેલું, કૃત-કારિત-અનુમોદન રહિત, પ્રાસુક અને `પ્રશસ્ત ભોજન કરવારૂપ જે સમ્યક્ આહારગ્રહણ તે એષણાસિમિત છે. ૧. પ્રશસ્ત= સારું; શાસ્ત્રમાં પ્રશંસેલું; જે વ્યવહારે પ્રમાદાદિનું કે રોગાદિનું નિમિત્ત ન હોય એવું. पोत्थइकमंडलाई गहणविसग्गेसु पयतपरिणामो । आदावणणिक्खेवणसमिदी होदि ति णिद्दिट्ठा ॥ ६४॥ શાસ્ત્રાદિ ગ્રહતાં-મૂકતાં મુનિના પ્રયત પરિણામને આદાનનિક્ષેપણ સમિતિ કહેલ છે આગમ વિષે. ૬૪. અર્થ : પુસ્તક, કમંડળ વગેરે લેવા-મૂકવા સંબંધી પ્રયત્નપરિણામ તે આદાનનિક્ષેપણસમિતિ છે એમ કહ્યું છે. पासुगभूमिपदेसे गूढे रहिए परोपरोहेण । उच्चारादिच्चागो पइट्ठासमिदी हवे तस्स ।। ६५ ।। જે ભૂમિ પ્રાસુક, ગૂઢ ને ઉપરોધ જ્યાં પરનો નહીં, મળત્યાગ ત્યાં કરનારને સમિતિ પ્રતિષ્ઠાપન તણી. ૬૫. ન અર્થ : જેને પરના ઉપરોધ વિનાના (-બીજાથી રોકવામાં ન આવે એવા), ગૂઢ અને પ્રાસક ભૂમિપ્રદેશમાં મળાદિનો ત્યાગ હોય, તેને પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે. कालुस्समोहसण्णारागद्दोसाइअसुहभावाणं । परिहारो मणुगुत्ती ववहारणयेण परिकहियं ।। ६६ ।। કાલુષ્ય, સંજ્ઞા, મોહ, રાગ, દ્વેષ આદિ અશુભના પરિહારને મનગુપ્તિ છે ભાખેલ નય વ્યવહારમાં. ૬૬. અર્થ :કલુષતા, મોહ, સંજ્ઞા, રાગ, દ્વેષ વગેરે અશુભ ભાવોના પરિહારને વ્યવહારનયથી મનો ગુપ્તિ કહેલ છે. थीराजचोरभत्तकहादिवयणस्स पावहेउस्स। परिहारो वयगुत्ती अलियादिणियत्तिवयणं वा ।। ६७ ॥ સ્ત્રી-રાજ-ભોજન-ચોરકથની હેતુ છે જે પાપની તસુ ત્યાગ, વા અલીકાદિનો જે ત્યાગ, ગુપ્તિ વચનની. ૬૭. અર્થ :પાપના હેતુભૂત એવાં સ્રીકથા, રાજકથા, ચોરકથા, ભક્તકથા ઇત્યાદિરૂપ વચનોનો પરિહાર અથવા અસત્યાદિકની નિવૃત્તિવાળાં વચનો તે વચનગુપ્તિ છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy