SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૭ અર્થ અતિસ્થૂલસ્કૂલ, ધૂલ, સ્થૂલસૂક્ષ્મ, સૂક્ષ્મણૂલ, સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ એમ પૃથ્વી વગેરે સ્કંધોના છ ભેદ છે. ભૂમે, પર્વત વગેરે અતિસ્થૂલસ્થૂલ સ્કંધો કહેવામાં આવ્યા છેઘી, જળ, તેલ વગેરે સ્થૂલ સ્કંધો જાણવા. છાયા, આત૫ (તડકો) વગેરે સ્થૂલસૂક્ષ્મ સ્કંધો જાણ અને ચાર ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધોને સૂક્ષ્મણૂલ કહેવામાં આવ્યા છે. વળી કાર્મવર્ગણાને યોગ્ય સ્કંધો સૂક્ષ્મ છે; તેમનાથી વિપરીત (અર્થાત્ કર્મવર્ગણાને અયોગ્ય) સ્કંધો અતિસૂક્ષ્મ કહેવામાં આવે છે. धाउचउक्कस्स पुणो जं हेऊ कारणं तितं णेयो। - સાંધામાં નવસાણ નાવ્યો Hપરમાણૂ II ર | જે હેતુ ધાતુચતુષ્કનો તે કારણોણ જાણવો; સ્કંધો તણા અવસાનને વળી કાર્યપરમાણુ કહ્યો. ૨૫. અર્થ વળી જે (પૃથ્વી, પાણી, તેજને વાયુ-એ) ચાર ધાતુઓનો હેતુ છે, તે કારણપરમાણુ જાણવો; સ્કંધોના અવસાનને (છૂટા પડેલા અવિભાગી અંતિમ અંશને) કાર્યપરમાણુ જાણવો. अत्तादि अत्तमज्झं अत्तंतं णेव इंदियग्गेझं। अविभागी जं दव्वं परमाणू तं वियाणाहि ॥ २६॥ જે આદિ-મણે અંતમાં પોતે જ છે, અવિભાગી છે, જે ઇંદ્રિથી નહિ ગ્રાહ્ય છે, પરમાણુ જાણો તેહને. ૨૬. અર્થ પોતે જ જેનો આદિ છે, પોતે જ જેનું મધ્ય છે અને પોતે જ જેનો અંત છે (અર્થાત્ જેના આદિમાં, મધ્યમાં અને અંતમાં પરમાણુનું નિજ સ્વરૂપ જ છે), જે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય(જણાવા યોગ્ય) નથી અને જે અવિભાગી છે, તે પરમાણુદ્રવ્ય જાણ. एयरसरूवगंधं दोफासं तं हवे सहावगुणं। विहावगुणमिदि भणिदं जिणसमये सव्वपयडत्तं ॥२७॥ બે સ્પર્શ, રસ-રૂપ-ગંધ એક, સ્વભાવગુણમય તેહ છે; જિનસમયમાંહી વિભાવગુણ સર્વાષપ્રગટ કહેલ છે. ૨૭. અર્થ જે એક રસાવાળું, એક વર્ણવાળું, એક ગંધવાળું અને બે સ્પર્શવાળું હોય, તે સ્વભાવગુણવાળું છે;
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy