SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ કર્મો કરે સુખી તેમ વળી કર્મો દુખી જીવને કરે, કર્મો કરે મિથ્યાત્વી તેમ અસંયમી કર્મો કરે; ૩૩૩. કર્મો ભમાવે ઊર્ધ્વ લોકે, અધઃ ને તિર્થક વિષે, જે કાંઈ પણ શુભ કે અશુભ તે સર્વને કર્મ જ કરે. ૩૩૪. કર્મ જ કરે છે, કર્મ એ આપે, હરે, સઘળું કરે, તેથી ઠરે છે એમ કે આત્મા અકારક સર્વ છે. * ૩૩૫. વળી પુરુષકર્મ સ્ત્રીને અને સ્ત્રીકર્મ ઇચ્છે પુરુષને -એવી શ્રુતિ આચાર્ય કેરી પરંપરા ઊતરેલ છે. ૩૩૬. એ રીત ‘કર્મ જ કર્મને ઈચ્છે -કહ્યું છે શ્રુતમાં, તેથી ન કો પણ જીવ અબ્રહ્મચારી અને ઉપદેશમાં. ૩૩૭. વળી જે હણે પરને, હણાયે પરથી, તેહ પ્રકૃતિ છે, -એ અર્થમાં પરઘાત નામનું નામકર્મ કથાય છે. ૩૩૮. એ રીતે ‘કર્મ જ કર્મને હણતું' -કહ્યું છે શ્રુતમાં, તેથી ન કો પણ જીવ છે હણનાર અમ ઉપદેશમાં’. ૩૩૯, એમ સાંખનો ઉપદેશ આવો, જે શ્રમણ પ્રરૂપણ કરે, તેના મતે પ્રકૃતિ કરે છે, જીવ અકારક સર્વ છે! ૩૪૦. અથવા તું માને “આતમા મારો કરે નિજ આત્મને’, તો એવું તુજ મંતવ્ય પણ મિથ્યા સ્વભાવ જ તુજ ખરે, ૩૪૧. જીવ નિત્ય તેમ વળી અસંખ્યપ્રદેશી દર્શિત સમયમાં, તેનાથી તેને હીન તેમ અધિક કરવો શક્ય ના. ૩૪૨. વિસ્તારથીનય જીવરૂપ જીવનું લોકમાત્ર જ છે ખરે, શું તેથી તે હીન-અધિક બનતો? કેમ કરતો દ્રવ્યને? ૩૪૩. માને તું- જ્ઞાયક ભાવ તો જ્ઞાનસ્વભાવે સ્થિર રહે', તો એમ પણ આત્મા સ્વયં નિજ આતમાને નહિ કરે. ૩૪૪. અર્થ “કર્મો (જીવન) અજ્ઞાની કરે છે તેમ જ કર્મો (જીવન) જ્ઞાની કરે છે, કર્મો સુવાડે છે તેમ જ કર્મો જગાડે
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy