________________
૭૦
આ નિશ્ચય સમ્યગ્દર્શનની શ્રદ્ધા ગુણ, જ્ઞાન ગુણ, ચારિત્ર ગુણ અને શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર એ ત્રણે ગુણોની અભેદ દષ્ટિએ જુદી જુદી વ્યાખ્યાઓ શાસ્ત્રમાં જણાવેલ છે તે જાણવાની જરૂર છે. શ્રદ્ધા ગુણની મુખ્યતાએ નિશ્ચય સમ્યગ્દર્શનની વ્યાખ્યાઃ ૧. શ્રદ્ધા ગુણની જે અવસ્થા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ થાય તે સમ્યગ્દર્શન છે. ૨. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં જેવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું શ્રદ્ધાન તે નિશ્ચય સમ્યગ્દર્શન
છે. (નિશ્ચય સમ્યગ્દર્શન નિમિત્તને, અધૂરા કે વિકારી પર્યાયને, ભંગ-ભેદને ગુણ ભેદને સ્વીકારતું
નર્થ - લક્ષમાં લેતું નથી.) ૩. સ્વરૂપનું શ્રદ્ધાન. ૪. આ-મશ્રદ્ધાન. ૫. સ્વ:૫ની યથાર્થ પ્રતીતિ. ૬. પરથી ભિન્ન પોતાના આત્માની શ્રદ્ધા-રુચિ. ૭. વિશુદ્ધ જ્ઞાન-દર્શન સ્વભાવ સ્વરૂપ નિજ પરમાત્માની રુચિ તે સમ્યગ્દર્શન. ૮. શુઇ, જીવાસ્તિકાયની રુચિરૂપ નિશ્ચય સમત્વ. જ્ઞાન ગુણની મુખ્યતાએ નિશ્ચય સમ્યગ્દર્શનની વ્યાખ્યાઃ ૧. વિપરીત અભિનિવેશ રહિત જીવાદિ તત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. ૨. ‘જુવાદિ શ્રદ્ધાન સમ્યકત્વ છે એટલે કે જીવાદિ પદાર્થોના યથાર્થ શ્રદ્ધાન સ્વરૂપે આત્માનું પરિણમન
તે સમ્યકત્વ છે. ૩. ભૂતાર્થ જાણેલાં પદાર્થોથી શુદ્ધાત્માના જુદાપણાનું સમ્યક અવલોકન. ૪. નવ તત્ત્વોના યથાર્થ શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કર્યું છે. ૫. શુઇ ચેતના એક પ્રકારની છે કેમ કે શુધનો એક પ્રકાર છે. શુદ્ધ ચેતનામાં શુદ્ધતાની ઉપલ્બિધિ થાય
છે તેથી તે શુદ્ધરૂપ છે અને તે જ્ઞાનરૂપ છે તેથી તે જ્ઞાનચેતના છે.
બધ સમ્યદષ્ટિઓને આ જ્ઞાનચેતના પ્રવાહરૂપથી અથવા અખંડ એકધારારૂપ રહે છે. ૬. શેય-જ્ઞાતૃત્વની યથાવત્ પ્રતીતિ જેનું લક્ષણ છે તે સમ્યગ્દર્શન પર્યાય. ૭. આત્માને આત્માથી જાણતો જીવ તે નિશ્ચય સમ્યગ્દષ્ટિ છે. ૮. “ત્તા શ્રદ્ધનમ્ નમ્” તત્વ(વસ્તુ)ના સ્વરૂપ સહિત અર્થ - જીવાદિ પદાર્થોની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે.
તત્ત્વોની સાચી શ્રદ્ધાનું નામ સમ્યગ્દર્શન છે. ‘તત્વ એટલે તેનો ભાવ-સ્વરૂપ; “અર્થ એટલે દ્રબ-ગુણ-પર્યાય; ‘તત્ત્વાર્થ શ્રદ્ધાન” એટલે સ્વરૂપ(ભાવ) સહિત પ્રયોજનભૂત પદાર્થોનું શ્રદ્ધાન