________________
૬૭
માટે હે ભવ્ય જીવો! આ પવિત્ર કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને આ અનંત અનંત દુઃખરૂપ એવા અનાદિ સંસારની આત્યંતિક નિવૃત્તિ અર્થે તમે ભક્તિપૂર્વક અંગીકાર કરો. સમયે સમયે તેને આરાધો. સમ્યગ્દર્શનની પ્રાપ્તિના પરમ ઉપાયમાં નિરંતર જાગૃત રહેવું એ નિકટ ભવ્ય આત્માનું મહા કર્તવ્ય
૩. આત્મવસ્તુ એકલી દ્રવ્યરૂપ નથી. દ્રવ્ય-ગુણ-પર્યાય એ ત્રણ સ્વરૂપ છે. આત્મા અખંડ, અભેદ,
શુદ્ધ છે” એમ તો સાંભળીને માને પરંતુ પર્યાયને સમજે જ નહિ, અશુદ્ધ અને શુદ્ધ પર્યાયનો વિવેક કરે નહિ એને સમ્યકત્વ હોઈ ન શકે. જ્યારે બધાય ગુણો અંશે સ્વભાવરૂપ કાર્ય આપે ત્યારે જ જીવનું
સમ્યગ્દર્શનરૂપી પ્રયોજન સિદ્ધ થાય છે. ૪. જ્ઞાનગુણે વિકલ્પ વડે આત્માને જાણવાનું કાર્ય કર્યું પરંતુ ત્યારે શ્રદ્ધા ગુણ તો મિથ્યાત્વરૂપી કાર્ય કરી
રહ્યો છે, આનંદગુણ તો આકુળતાનું વેદન આપી રહ્યો છે – આ બધું ભૂલી જાય અને માત્ર જ્ઞાનથી જ સંતોષ માની લે તો તેમ માનનાર જીવને સમ્યગ્દર્શન ન થાય. આ તો નિર્વિકલ્પ અનુભૂતિનો
વિષય છે. ૫. પોતાની પર્યાયની પામરતાં જીવને જ્યાં સુધી ન ભાસે ત્યાં સુધી તેની દશા સમત્વ સન્મુખ નથી.
પરિણતિનું સહજપણે આનંદમયપણું હોવાને બદલે એકલી કૃત્રિમતા અને ભય-શંકાઓમાં ઝોક થતાં હોય, એકએક ક્ષણેક્ષણની પરિણતિ વિકારના ભાવનીચે જટાયેલી હોય છતાં પણ પોતાને
સમ્યગ્દષ્ટિ માની લેવું એ તો નર્યો દંભ છે, અજ્ઞાનતા અને સ્વ આત્માની છેતરપીંડી છે. ૬. અહા! કેવળી પ્રભુનું આત્મપરિણમન સહજપણે કેવળજ્ઞાનમય પરમ સુખદશાપણે જ પરિણમી
રહ્યું છે, એ સહજપણે પરિણમતા કેવળજ્ઞાનનું મૂળ કારણ સમ્યકત્વ છે. ૭. સમ્યગ્દર્શન એટલે સમ્યફદશાની પ્રતીતિમાં આખો આત્મા આવી જાય છે. એ સમ્યગ્દર્શનનો મહિમા
અપાર છે.માટે બધા ભ્રમ ટાળી રત્નત્રયી આરાધના - સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ આરાધનામાં નિરંતર પ્રવર્તવું એ પરમ પાવનકારી પ્રવૃત્તિ છે.