SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ ૨૮. એક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ હોય તો તેને મોક્ષમાર્ગી કહ્યો અને મિથ્યાદષ્ટિ મુનિને સંસારમાર્ગી કહ્યો. ૨૯. સમ્યગ્દષ્ટિ વ્રત રહિત હોય તો પણ તેની દુર્ગતિ થતી નથી. તે નારકી, પશુ, નપુંસક, સ્ત્રી, નીચકુળ, વિકલાગ, અલ્પ આયુષ્ય કે દરિદ્રી તરીકે જન્મ લેતો નથી. ૩૦. “વ્રત નહીં, પચ્ચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપાતીર્થંકર થશે, શ્રેણિક ઠાણંગ જોઈ લો.” સમ્યગ્દર્શનનું માહાત્મ બતાવતાં ઠાણાંગસૂત્રની શાખ આપી કહે છે કે શ્રેણિક મહારાજાને કોઈ વ્રત, પચ્ચખાણ નહોતું છતાં તેઓ એકાવતારી અને તીર્થંકર નામકર્મયુક્ત થયા, કારણ કે તે તો ક્ષાયિક સમ્યકત્વી હતાં. શ્રીમદ રાજચંદ્ર પોતે મહાવ્રતધારી નહોતા છતાં એકાવતારી પુરુષ હતાં તે પણ સમ્યગ્દર્શનની જ કૃપા છે. સમ્યગ્દર્શન સહિત વ્રત અને મહાવ્રત હોય તો ગુણસ્થાનક આગળ વધે છે, તે સોનામાં સુગંધ કહેવાય. પૂર્ણ જીવનની શોભા ને સાર્થકતા સમ્યગ્દર્શન જ છે. આવો સમ્યગ્દર્શનનો મહિમા લક્ષમાં લેવા જેવો છે. ૫. સમ્યગ્દર્શન - જીવનનું સુપ્રભાત ! અનાદિકાના પરિભ્રમણના કારણભૂત અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા સમ્યગ્દર્શન એ સુપ્રભાત છે. પ્રભાત થતાં સૂર્યના પ્રકાશ વડે જેમ ધરા પ્રકાશી ઊઠે છે એમ સમ્યગ્દર્શન પ્રગટ થતાં ચૈતન્ય સમ્યજ્ઞાનપ્રજ્ઞારૂપે પ્રકાશી ઊઠે છે. તે પ્રકાશમાં જગતના પદાર્થોનું યથાર્થ વસ્તુસ્વરૂપ સમજાય છે. અનંતકાળની મિથ્યા ભ્રમણાઓ ભાંગી જાય છે. અજવાળું થતાં જેમ અંધકાર દૂર થઈ જાય છે, અદશ્ય થઈ જાય છે તેમ સમ્યજ્ઞાને કરીને અંધકાર દૂર થઈ જાય છે. ચિત્તની નિર્મળતાને કારણે તે આત્માનો ગુણરાશિ પ્રગટતો જાય છે. તે દ્વારા સકામ નિર્જરા કરીને આત્મા અનુક્રમે શુદ્ધ જીવનનો સ્વામી બને છે. સમ્યકત્વ એટલે યથાર્થતા -વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જાણવું અને માનવું. મિથ્યાત્વ એટલે વિપરીતતા -વસ્તુનું સ્વરૂપ હોય તેનાથી વિપરીત માનવું - અધિક કે ઓછું માનવું તે વિપરીતતા છે. હવે સમ્યક્ત એ જીવનનું સત્ય અને સત્ત્વ છે, તે અંતર્મુખતા છે. મિથ્યાત્વ એ બહિર્મુખતા અને વિપર્યાસપણું છે. ગુરુગમે નિર્મળબુદ્ધિ, શ્રદ્ધા અને અનુભવની પ્રતીતિ એ સમ્યત્વ છે. નિજ મતિ કલ્પનાએ. સ્વચ્છંદતાએ માનેલું વસ્તુનું સ્વરૂપ ભ્રમણારૂપ મિથ્યાત્વ છે. સમ્યગ્દષ્ટિવંત આત્મા સ્વ-પરના ભેદનો અનુભવ કરે છે. અને સચિત્ત-આનંદરૂપ પોતાના સ્વરૂપના ભાનમાં વર્તે છે. બાહ્ય સંયોગો વગેરે તેના આત્માને અંતરાય કરતાં નથી કારણ કે તેમાંથી ઇષ્ટઅનિષ્ટ બુદ્ધિનો અભાવ થઈ ગયો છે. કવચિત વિષમ પરિસ્થિતિ આવે તો પણ તેમાં આકુળતા-વ્યાકુળતા થતી નથી. આ છે સમ્યકત્વનો મહિમા! સમ્યગ્દર્શન થાય ત્યારના અનુભવની દશા કોઈક અલૌકિક જ હોય છે. જ્યારે સમ્યગ્દર્શન થાય છે, આત્માનો અનુભવ થાય છે, સુખના પહેલાં કણકાનો અપૂર્વ સ્વાદ આવે છે ત્યારે જાણે સૂર્યના કિરણોનો Aી પડે છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy