________________
૬૨
અને વેરતી પ્રાપ્ત કર્યા છે. હા, ગમે તેવા જ્ઞાન અને વિરતિ નહિ, પરંતુ સમ્યગ્દર્શનથી યુક્ત એવા જ્ઞાન અને વિરતી.
૩. દાન, શીલ, તપ, ભાવના બધી જ શુદ્ધ ધર્મક્રિયાઓ પણ તો જ મોક્ષના ફળ આપનારી બની શકે છે જો તેમને સમ્યગ્દર્શનનો સહકાર હોય; અન્યથા નહિ જ.
૪. ધર્મ કાર્યથી કોઈ ચડિયાતું કોઈ કાર્ય નથી; પ્રાણી હિંસા જેવું કોઈ અકાર્ય નથી; સ્નેહ-રાગ જેવું કોઈ બંધન નથી. અને સમ્યગ્દર્શનના લાભ જેવો બીજો કોઈ લાભ નથી.
૫. જન્મ, જરા, માંદગી અને મૃત્યુના દુઃખો કેટલા બધાં કાતીલ છે તે વાતની જાણ છે; તે વાતની ચિંતા પણ છે; પરંતુ કાશ ! તો ય વિષયસુખોથી આ જીવને વિરાગ પ્રગટતો નથી ! કેટલી તીવ્ર મિથ્યાત્વની ગાંઠ છે. સમ્યગ્દર્શનથી જ આ મિથ્યાત્વની ગાંઠ તૂટે અને ગ્રંથિ ભેદ થઈ શકે અને આ બધા દુઃખ ટળી શકે.
૬. સમ્ય દર્શન પ્રાપ્ત થાય તો જ સાચી ચિત્તશુદ્ધિ પ્રાપ્ત થાય; અન્યથા તે ચિત્તશુદ્ધિ અજ્ઞાનમૂલક હોઈ શકે અને તે આપત્તિઓનો ખડકલો કરનારી બની શકે.
૭. એક આત્મા બધા કામસુખોને ત્યજી દે; રે ! નિવૃત્તિના માર્ગે પ્રયાણ કરે; એટલું જ નહિ પણ દુઃખોનો સામી છાતીએ સખત લડત પણ આપે તો ય - જો તે સમ્યગ્દર્શન પામ્યો ન હોય - તેને મોક્ષ થઈ શકતો નથી.
૮. આંખોમાં જે સ્થાન કીકીનું છે; પુષ્પમાં જે સ્થાન સુગંધનું છે તે જ સ્થાન સર્વ ધર્મ પ્રવૃત્તિઓમાં સમ્યદર્શનનું છે.
૯. ‘કોઇ પણ જીવની ન હિંસા કરવી જોઈએ' એ જ તત્ત્વ છે, એ જ જિનઆજ્ઞા છે. એ તત્ત્વ પર શ્રદ્ધા એ જ સમ્યગ્દર્શન છે.
૧૦. અહાહા ! અદ્ભૂત ! જેની પ્રાપ્તિ થવાથી અનંતકાળના અનંત દુઃખ ટળી અને અનંતકાળ સુધી અનંત, અક્ષય સુખની પ્રાપ્તિ થાય એ સમ્યગ્દર્શન કો ઈ અલૌકિક ચીજ છે, ચૈતન્ય ચમત્કાર છે. આવો તેનો મહિમા સમજાવવો જોઈએ.
૧૧. મોક્ષસુખ પણ તે જ ધર્મ આપી શકે જે ધર્મની સાથે સમ્યગ્દર્શન, કષાયની મંદતા, ગુણીજન પ્રત્યે અનુરાગ અને ધર્મક્રિયામાં તન્મયતા ભળેલાં હોય.
૧૨. મિથ્યાત્વ(સમ્યગ્દર્શનનો વિરોધી) એના જેવો કોઈ મહારોગ નથી(આત્મભ્રાંતિ સમ રોગ નહિ), એના જેવો સંસારમાં રખડાવનાર કોઈ શત્રુ નથી, એ અજ્ઞાનતા જેવો કોઈ અંધકાર નથી, બીજો કોઈ એના જેવો મહાપાપ નથી.
૧૩. અરે મારા હૈયે તો જિનની આજ્ઞા જ છે. આ વાત સમ્યગ્દષ્ટિને જ હોય; પણ પુણ્યહીન હું કેવો છું કે આચારમાં તો ઊંધુ ચારિત્ર છે ! આ બોલવાથી ય સર્યું ! કેવો ભયંકર આ વિસંવાદ !