SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મામાં ફરી ફરીને મતિ-શ્રુતને જોડવાં. તેથી ભ્રાંતિનો નાશ થશે, ભ્રાંતિગત અજ્ઞાનદશાનો નાશ થશે, મિથ્યાત્વનો નાશ થશે કે જે દુઃખનું મૂળ છે. સમ્યકત્વ થતાં સુખની પ્રાપ્તિ થશે. (પૂ. ગુરુદેવશ્રી) ૧૭. સંસારમાં જ્યારે જીવ પર્યાપ્તિ બાંધે છે ત્યારે એક સાથે બાંધે છે અને પછી તે પૂર્ણતાને ક્રમે ક્રમે પામે છે. તેમ આત્મામાં મોક્ષ દશા પ્રગટ કરનાર પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટે છે ત્યારે એક સાથે બધા ગુણો અંશે શુદ્ધ થાય છે અને પછી પૂર્ણતા ક્રમે ક્રમે થાય છે. (પૂ. ગુરુદેવશ્રી) ૧૮. મિથ્યાદષ્ટિ કદાચિત શુભ પરિણામથી શાતાવેદનીયના ઉત્કૃષ્ટ પંદર ક્રોડાકોડી સાગરની સ્થિતિ બાંધે છે; પરંતુ ત્રસની બે હજાર સાગરથી વધુ સ્થિતિ હોતી નથી. તેથી તે પરિણામ ફરી જઈને, તે સ્થિતિ તોડીને, શુભમાંથી અશુભમાં આવી, તે મિથ્યાદષ્ટિ મિથ્યાત્વના જોરથી નિગોદમાં ચાલ્યો જાય છે; કેમ કે સ્વભાવનું ભાન નથી. તેથી શુભ પલટીને અશુભભાવ થાય છે અને નિગોદમાં જાય છે. સમ્યગ્દષ્ટિ શુભ પરિણામથી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે તો અંતઃક્રોડાકોડીની બાંધે છે. પણ વાસમાં રહેવાનો કાળ એટલો નથી, તેથી તે તોડીને શુદ્ધ પરિણામને પ્રાપ્ત કરીને મોક્ષે જાય છે. (પૂ. ગુરુદેવશ્રી) ૧૯. સમ્યગ્દર્શનનું ફળ : ચારિત્રની શુદ્ધતા એક સાથે સંપૂર્ણ પ્રગટી જતી નથી, પણ ક્રમે ક્રમે પ્રગટે છે. જ્યાં સુધી અપૂર્ણ શુદ્ધદશા રહે છે ત્યાં સુધી સાધનદશા કહેવાય છે. શુદ્ધતા કેટલી પ્રગટે ? કે પહેલાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન કરીને જે આત્મસ્વભાવ પ્રતીતમાં આવ્યો છે તે સ્વભાવના મહિમા વડે જેટલા જોરથી તે સ્વદ્રવ્યમાં એકાગ્રતા કરે તેટલી શુદ્ધતા પ્રગટે છે. આથી શુદ્ધતાનું પહેલું પગથીયું શુદ્ધાત્માની પ્રતીતિ અર્થાત્ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન પછી પુરુષાર્થ વડે ક્રમે ક્રમે સ્થિરતા વધારીને અંતે પૂર્ણ સ્થિરતા વડે પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરીને મુક્ત થઈ જાય છે અને સિદ્ધદશામાં અક્ષય અનંત આત્મસુખનો અનુભવ કર્યા કરે છે. મિથ્યાત્વ ટાળીને સમ્યગ્દર્શન કર્યું તેનું જ આ ફળ છે. ૨૦. તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જુદી માલૂમ પડે છે તેમ દેહથી આત્મા સ્પષ્ટ જુદો બતાવે છે તેણે આત્મા અનુભવ્યો કહેવાય. દૂધને પાણી ભેળાં છે તેવી રીતે આત્મા અને દેહ રહેલ છે. દૂધ અને પાણી ક્રિયા કરવાથી જુદા પડે ત્યારે જુદાં કહેવાય. તેવી રીતે આત્મા અને દેહ કિયાથી જુદા પડે ત્યારે જુદા કહેવાય. દૂધ દૂધના અને પાણી પાણીના પરિણામ પામે ત્યાં સુધી ક્રિયા કહેવી. જેણે આત્મા જાગ્યો હોય - એટલે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું હોય તો પછી એક પર્યાયથી માંડી આખા સ્વરૂપ સુધીની ભ્રાંતિ થાય નહિ. ધર્મનું મૂળ સમ્યગ્દર્શન જ છે. સમ્યક સમજણ તે જ ધર્મનું પગથિયું છે. કેવળજ્ઞાનદશા તે સંપૂર્ણ ધર્મ છે. શ્રદ્ધારૂપી ધર્મ એ જ ધર્મનું પહેલું પગથિયું છે. એ રીતે સમ્યગ્દર્શનનું માહાત્મ જાણો! ૪. સમ્યગ્દર્શનનો મહિમા વર્ણવતા શ્લોકો ૧. જે આત્મા સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલો છે તે આત્મા ભ્રષ્ટ જ છે. સમ્યગ્દર્શનથી રહિત આત્મા કદી મોક્ષ પામી શકતો નથી. ૨. આ જન્મતો દુઃખનું કારણ છે; છતાં તેનો જન્મ વખાણવા લાયક છે જેણે જન્મ લઈને આત્મજ્ઞાન
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy