SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ - આત્માના સ્વચતુષ્ટય આ પ્રમાણે છે. ૧) સ્વદ્રવ્ય ૨) સ્વક્ષેત્ર : ૩) સ્વકાળ : ૫૦ ૨) ક્ષેત્ર ૩) કાળ પોતાના જ્ઞાનાદિ ગુણો અને પર્યાયોથી અભિન્ન તે સ્વદ્રવ્ય. લોકપ્રમાણ પોતાના અસંખ્ય પ્રદેશ છે તે આત્માનું સ્વક્ષેત્ર. જે નિત્ય સ્વભાવને છોડ્યા વિના નિરંતર ક્રમબદ્ધ પોતપોતાના અવસરે નવા નવા પર્યાયોનો ઉત્પાદ થયા કરે તે જ નિજ પરિણામનું નામ સ્વકાળ. દ્રવ્યના આશ્રયે રહેલ ત્રિકાળી શક્તિરૂપ અનંત ગુણો છે તે સ્વભાવ. ૪) સ્વભાવ પુદ્ગલ પરમાણુના સ્વચતુષ્ટય : ૧) દ્રવ્ય પોતાના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, અસ્તિત્વાદિ અનંત ગુણોથી તેમ જ તેના સર્વ પર્યાયોરૂપ અખંડ વસ્તુ તે પુદ્ગલનું સ્વદ્રવ્ય. પુદ્ગલ પરમાણુનો એક પ્રદેશ તે તેનું સ્વક્ષેત્ર. નિત્ય સ્વભાવને નહિ છોડીને નિરંતર ક્રમબદ્ધ પોતપોતાના અવસરે નવા નવા પર્યાયોનો ઉત્પાદ થયા કરે છે તે પુદ્ગલના નિજ પરિણામનું નામ સ્વકાળ. ૪) ભાવ : પુદ્ગલ દ્રવ્યના આશ્રયે રહેલ જે સ્પર્ધાદિ અનંતગુણો છે તે તેનો સ્વભાવ. ૪. સ્વનું શ્રદ્ધાન : જીવ નાનો પદાર્થ એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે. સાત બોલથી એ સમય સિદ્ધ કર્યો છે. ૧. ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત સત્તાથી સહિત છે. ૨. દર્શન-જ્ઞાનસ્વરૂપ પરિણમન સહિત છે. ૩. અનંત ધર્મોમાં રહેલા એકધર્મીપણાને લીધે તેને દ્રવ્યપણું પ્રગટ છે. ૪. અમવર્તી અને ક્રમવર્તી એવા ગુણ-પર્યાયો સહિત છે. ૫. સ્વ -પરસ્વરૂપને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી તેને સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપપણું છે. ૬. અસાધારણ ચૈતન્ય ગુણના સદ્ભાવને તથા પરદ્રવ્યોના વિશેષ ગુણોના અભાવને લીધે પરદ્રવ્યોથી ભિન્ન છે. ૭. અન્ય દ્રવ્યોથી અત્યંત એકક્ષેત્રાવગાહ હોવા છતાં પોતાના ભિન્ન ક્ષેત્રપણે રહેતો એક ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વરૂપ જ રહેવાનો સ્વભાવ છે. જ્યારે આ જીવ સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાન જ્યોતિનો ઉદય થવાથી, સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શન-જ્ઞાનસ્વભાવમાં નિશ્ચિત પ્રવૃત્તિરૂપ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy