________________
૪૯
ધર્મનું સ્વરૂપ: નિજ આત્માની અહિંસાને ધર્મ કહે છે. સાચા શાસ્ત્ર(આગમ)નું સ્વરૂપ શું છે? ૧) જેમાં અનેકાંતરૂપ સાચા જીવાદિ તત્ત્વોનું નિરૂપણ કરેલું છે તથા જે સાચો રત્નાય - મોક્ષમાર્ગ દેખાડે છે, તે સાચા જૈન શાસ્ત્રો છે. ૨) તીર્થંકર પરમદેવની વાણી જે પૂર્વાપર દોષ રહિત અને શુદ્ધ છે તેને આગમ(શાસ્ત્ર)કહેલ છે. ૩) ખરેખર આગમ વિના પદાર્થનો નિશ્ચય કરી શકાતો નથી; કારણ કે આગમ જ જેને ત્રણે કાળ (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ) ત્રણ લક્ષણો પ્રવર્તે છે એવા સકળ પદાર્થ સાથેના યથાર્થ જ્ઞાન વડે સુસ્થિત અંતરંગથી ગંભીર છે. અરિહંત ભગવંત અઢાર દોષથી રહિત છેઃ ૧) સુધા ૪) રોગ ૭) જન્મ ૧૦) ક્રોધ ૧૩) ખેદ ૧૬ રતિ-અરતિ ૨) તૃષા ૫) પરસેવો ૮) મરણ ૧૧) ચિંતા ૧૪) મદ ૧૭ મોહ ૩) જરા ૬) નિદ્રા ૯) ભય ૧૨) વિસ્મય ૧૫) ઉદ્દેગ ૧૮) રાગ સાત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધામાં દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા કેવી રીતે આવી જાય છે? ૧) મોક્ષ તત્ત્વ સર્વજ્ઞ વીતરાગ સ્વભાવ છે. તેના ધારક શ્રી અરહંત સિદ્ધ છે. તે જ નિર્દોષ દેવ છે; તેથી જેને મોક્ષ તત્ત્વની શ્રદ્ધા છે તેને સાચા દેવની શ્રદ્ધા છે. ૨) સંવર-નિર્જરા નિશ્ચય રત્નત્રય સ્વભાવ છે. તેના ધારક ભાવલિંગી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે તે જ નિર્ગથ દિગંબર ગુરુ છે, તેથી જેને સંવર-નિર્જરાની સાચી શ્રદ્ધા છે તેને સાચા ગુરુની શ્રદ્ધા છે. ૩) જીવ તત્વનો સ્વભાવ રાગાદિ ઘાતરહિત શુદ્ધ ચૈતન્ય-પ્રાણમય છે. તેના સ્વભાવ સહિત અહિંસા -ધર્મ છે; તેથી જેને શુદ્ધ જીવની શ્રદ્ધા છે તેને પોતાના આત્માની) અહિંસારૂપ ધર્મની શ્રદ્ધા છે. જૈન ધર્મ શું છે? જૈન ધર્મ તો રાગ-દ્વેષ-અજ્ઞાનને જીતનાર આત્મ સ્વભાવ છે. અજ્ઞાન અને અંશે રાગ-દ્વેષનો અભાવ થતાં જૈનપણાની શરૂઆત નિશ્ચય સમ્યગ્દર્શન થતાં (ચોથા ગુણસ્થાનકથી) થાય છે. પછી જેટલે જેટલે અંશે રાગ-દ્વેષનો અભાવ થાય એટલે તેટલે અંશે જૈનપણું વધતું જાય છે અને કેવળજ્ઞાન થતાં
પૂર્ણ જૈનપણું પ્રગટે છે. ૩. સ્વ-પરનું ભેદજ્ઞાન :
સ્વચતુય એટલે પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ અને પરચતુષ્ટય એટલે પોતાથી ભિન્ન એવા પરપદાર્થના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ.