SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ (૨) ધર્મ દ્રવ્ય એક, અજીવ, બહુપ્રદેશી છે. તે નિત્ય, અવસ્થિત, અરૂપી અને હલનચલન રહિત છે. તેના લોકાકાશ જેટલા અસંખ્ય પ્રદેશ છે અને તે આખા લોકાકાશમાં વ્યાપક છે. તે પોતે હલનચલન કરતાં જીવ અને પુદ્ગલોને ગતિમાં નિમિત્ત છે. તેને અવગાહનમાં આકાશ અને પરિણમનમાં કાળ નિમિત્ત છે. (૩) અધર્મ દ્રવ્યને ઉપર કહેલી બધી બાબતો લાગુ પડી શકે છે. વિશેષતા એટલી જ કે ધર્મ દ્રવ્ય જીવ - પુદ્ગલને ગતિમાં નિમિત્ત છે ત્યારે અધર્મ જીવ - પુદ્ગલોને સ્થિતિમાં નિમિત છે. (૪) આકાશ દ્રવ્ય એક, અજીવ, અનંતપ્રદેશ છે. નિત્ય અવસ્થિત અરૂપી અને હલનચલન રહિત છે. બીજા પાંચે દ્રવ્યોને અવગાહન આપવામાં નિમિત્ત છે. આકાશના જે ભાગમાં બીજા પાંચ દ્રવ્યો રહે છે તેને લોકાકાશ કહે છે અને બીજાને અલોકાકાશ કહેવામાં આવે છે. (૫) કાળદ્રવ્ય દરેક અણુરૂપ અરૂપી, અસ્તિપણે પણ કાય રહિત નિત્ય અને અવસ્થિત અજીવ પદાર્થ છે. તે બધા દ્રવ્યોના પરિણમનમાં નિમિત્ત છે. કાળદ્રવ્યને અવગાહનમાં આકાશદ્રવ્ય નિમિત્ત છે. એક આકાશ પ્રદેશ રહેલાં અનંત દ્રવ્યોને પરિણમનમાં એક કાલાણ નિમિત્ત થાય છે; તે કારણે ઉપચારથી તેને અનંત સમય કહેવામાં આવે છે. ભૂત – ભવિષ્યની અપેક્ષાએ અનંત છે. કાળના એક પર્યાયને સમય કહે છે. દ્રવ્યોમાં ભાવવર્તી અને ક્રિયાવર્તી એમ બે પ્રકારની શક્તિઓ છે; તેમાં ભાવવ શક્તિ બધા દ્રવ્યોમાં છે અને તેથી તે શક્તિનું પરિણમન - ઉત્પાદ-વ્યય દરેક દ્રવ્યમાં દ્રવ્યપણું ટકીને થાય છે. ક્રિયાવર્તી શક્તિ જીવ અને પુદ્ગલમાં એ બે જ દ્રવ્યોમાં છે. તે બન્ને એક ક્ષેત્રથી બીજા ક્ષેત્ર જાય છે; પણ તેમાં વિશેષતા એટલી છે કે જીવ વિકારી હોય ત્યારે અને સિદ્ધ ગતિમાં જતી વખતે ક્રિયાવાન બને છે અને સિદ્ધ ગતિમાં તે સ્થિરપણે રહે છે. પુગલમાં મુખ્યપણે હલનચલનરૂપ ક્રિયા છે, જ્યારે જીવ દ્રવ્યમાં સંસારી અવસ્થામાં કોઈ વખતે હલનચલનરૂપ ક્રિયા થાય છે ૩-૪) આસ્રવ - બંધ તત્ત્વઃ મોહકર્મના ઉદયથી આ જીવને જે પરિણામ થાય છે તે જ આસ્રવ છે. તે પરિણામ મિથ્યાત્વાદિથી માંડીને અનેક પ્રકારના છે. કર્મબંધનું કારણ આસ્રવ છે, તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એમ પાંચ પ્રકારના છે. જે પુલવર્ગણા કર્મરૂપે પરિણમે તેને દ્રવ્યાસ્રવ કહેવાય છે તથા જીવ પ્રદેશો ચંચળ થાય છે તેને ભાવાસવ કહેવાય છે. મોહના ઉદય સહિત જે આસ્રવ છે તે જ ખરેખર આસવ છે. મનવચન-કાયારૂપ યોગ છે. તે જ આસવ છે. કામણ શરીરમાં જે કર્મ બંધાય છે તેને બતાવવાવાળા આસ્રવ અને બંધ તત્ત્વ છે; કર્મ વર્ગણાઓનું બંધની સન્મુખ થવું તેને આસ્રવ અને બંધાઈ જવું તેને બંધ કહે છે. એ બન્ને કામ સાથે થાય છે. બંધના ચાર ભેદ છે. પ્રકૃત્તિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ. યોગોથી
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy