________________
(૮-૯) સિદ્ધત્વ અને વિસસા ઊર્ધ્વગમનત્વ: જ્ઞાનાવરણાદિ આઠ કર્મ રહિત, સમ્યકત્વાદિ આઠ ગુણો સહિત અંતિમ શરીરથી કંઈક ન્યૂન ત્રણ લોકના અગ્રભાગે સ્થિત, ધ્રુવ અવિનાશી ઉત્પાદવ્યયથી યુક્ત જીવ સિદ્ધ છે. ૨) અજીવ તત્વ: (૧) જે દ્રવ્યમાં જાણવા દેખવાની શક્તિ ન હોય તેને અજીવ દ્રવ્યો કહે છે. અજીવ દ્રવ્યો પાંચ છે.
1) પુદ્ગલ ૨) ધર્મ ૩) અધર્મ ૪) આકાશ અને ૫) કાળ તેમાં પુદગલ મૂર્તિક છે. બાકીના ચાર અમૂર્તિક છે. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ ગુણો હોય તે મૂર્તિ અર્થાત્ રૂપી છે. પુદ્ગલ દ્રવ્યના શબ્દ વગેરે દસ પર્યાયો છે. ૧) શબ્દ
(૬) ખંડ ૨) બંધ
(૭) દષ્ટિને રોકે તે અંધકાર ૩) ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય તે સૂક્ષ્મ (૮) છાયા - પ્રતિબિંબ ૪) ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય તે સ્થળ (૯) ચંદ્રકાન્ત મણિનો પ્રકાશ તે ઉદ્યોત ( ૫) આકાર
(૧૦) સૂર્ય અને સૂર્યકાન્ત મણિનો પ્રકાશ તે આપ 'પુ’ એટલે ભેગા થવું - મળી જવું અને ‘ગલ” એટલે છૂટા પડી જવું. સ્પર્શ ગુણની પર્યાયની વિચિત્રતાને કારણે મળી જવું અને છૂટા પડવું એ પુદ્ગલમાં જ બને છે. એ કારણે જ્યારે એમાં સ્થૂળતા આવે છે ત્યારે પુગલ દ્રવ્ય ઇન્દ્રિયોનો વિષય બને છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને દ્રવ્યમન તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા છે તેથી તે પાંચે પુદ્ગલ દ્રવ્ય છે.
પગલ પરમાણુઓનું એક દશામાંથી બીજી દશામાં પલટવું થયા કરે છે. જેમાં માટીના પરમાણુઓમાંથી જળ થાય છે, જળમાંથી પૃથ્વી થાય છે, પૃથ્વી-કાષ્ટાદિથી અગ્નિ થાય છે. આમ પૃથ્વી આદિ સમસ્ત પુદ્ગલના જ વિકાર છે. બીજી રીતે પુદ્ગલના છ પ્રકાર છે. (૧) સૂક્ષ્મ - સૂક્ષ્મ (૩) સૂક્ષ્મ - સ્થૂળ (૫) સ્થૂળ (૨) સૂક્ષ્મ (૪) સ્થૂળ - સૂક્ષ્મ (૬) સ્થૂળ - સ્થૂળ પરમાણ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી તો પણ ઇન્દ્રિય ગ્રાહ્ય થવાની તેમાં લાયકાત છે. પુદ્ગલ દ્રવ્ય અણુ અને સ્કંધ એમ બે પ્રકારે છે. અણઃ જેનો બીજો વિભાગ ન થઈ શકે તેને અણુ કહે છે. પુદ્ગલ મૂળ દ્રવ્ય છે. પરમાણુ પોતે જ મધ્ય અને પોતે જ અંત છે કેમ કે તે એક પ્રદેશી અને અવિભાગી છે.
બે, ત્રણથી માંડીને સંખ્યાત, અસંખ્યાત કે અનંત પરમાણુઓના પિંડને સ્કંધ કહે છે. સ્કંધ તે પુદ્ગલ દ્રવ્યની વિશેષતા છે. આવી વિશેષતા બીજા કોઈ દ્રવ્યમાં નથી