________________
૫૪૫
પ્ર. ૧૦ઃ નિમિત્ત અને ઉપાદાન બન્ને ભેગાં મળીને કાર્ય કરે છે એમ જાણે તેના જ્ઞાનમાં શો દોષ છે? ઉ. ૧૦ઃ ૧) મૂળ (ખરું) કારણ તો ઉપાદાન છે, તેને તેણે ઓળખું નહિ અને નિમિત્ત-ઉપાદાન બન્નેને મૂળકારણપણે જાણ્યા તેથી તેને કારણ વિપરીતતા થઈ. ૨) ઉપાદાન પોતાનું કાર્ય કરે ત્યારે ઉચિત નિમિત્ત સ્વયં ઉપસ્થિત હોય છે, તેથી નિમિત્તને ઉપચારમાત્ર કારણ કહેવામાં આવે છે - એવા સ્વરૂપને તેણે ન ઓળખ્યું એટલે ઉપાદાન-નિમિત્તના મૂળભૂત વસ્તુસ્વરૂપને ન ઓળખ્યું તેથી તેને સ્વરૂપ વિપરીતતા થઈ. (૩) દરેક દ્રવ્ય હંમેશા પોતાનું કાર્ય કરી શકે છે અને પરનું કાર્ય કરી શકે નહિ એવી ભિન્નતા ન માનતાં ઉપાદાન અને નિમિત્ત બન્ને મળીને કાર્ય કરે એમ માન્યું, તેથી બન્નેની અભિવ્રતાને લીધે તેને ભેદભેદ વિપરીતતા થઈ.
આ રીતે ત્રણ વિપરીતતાનો દોષ લાગુ પડે છે. પ્ર. ૧૧ : દ્રવ્યલિંગી મિથ્યાદષ્ટિ મુનિની ધર્મ સાધનામાં અન્યથાપણું શું છે? ઉ. ૧૧: દ્રવ્યલિંગી મુનિ (૧) વિષયાદિ-સુખાદિના ફળ નરકાદિ છે (૨) શરીર અશુચિમય છે (૩) શરીર વિનાશીક છે, પોષણ કરવા યોગ્ય નથી. (૪) કુટુંબાદિક સ્વાર્થના સગાં છે - ઇત્યાદિ પરદ્રવ્યોના દોષ વિચારીને તેનો તો ત્યાગ કરે છે; તથા વ્રતાદિનું ફળ સ્વર્ગ-મોક્ષ છે, તપશચરણાદિ પવિત્ર ફળના આપનારા છે, એ રીતે શરીર શોષણ કરવા યોગ્ય છે તથા દેવ-ગુરુ-શાસ્ત્રાદિ હિતકારી છે - ઇત્યાદિ પરદ્રવ્યોનો ગુણ વિચારી તેને જ અગીકાર કરે છે.
ઇત્યાદિ પ્રકારથી કોઈ પરદ્રવ્યોને બુરા જાણી અનિષ્ટરૂપ શ્રદ્ધાન કરે છે તથા કોઈ પરદ્રવ્યોને ભલા જાણી ઇષ્ટરૂપ શ્રદ્ધાન કરે છે. હવે પરદ્રવ્યોમાં ઈષ્ટ-અનિષ્ટરૂપ શ્રદ્ધાન કરવું એ મિથ્યાત્વ છે. વળી એ જ શ્રદ્ધાનથી તેને ઉદાસીનતા પણ દ્વેષબુદ્ધિરૂપ હોય છે કારણ કે કોઈને બુરા જાણવાં તેનું જ નામ ષ છે. પ્ર. ૧૨ દ્રવ્યલિંગી મુનિ વગેરેને ભ્રમ થાય છે તેનું કારણ કોઈ કર્મ જ હશે ને ? ત્યાં પુરુષાર્થ શો કરે? ઉ. ૧૨ઃ ના, ત્યાં કર્મનો દોષ નથી. સાચા ઉપદેશથી નિર્ણય કરતાં ભ્રમ દૂર થાય છે. પણ સાચો પુરુષાર્થ કરતો નથી કે જેથી ભ્રમ દૂર થાય. જો નિર્ણય કરવાનો પુરુષાર્થ કરે તો ભ્રમનું નિમિત્તકારણ જે મોહકર્મ તેનો પણ ઉપશમ થાય અને ભ્રમ દૂર થાય. કારણ કે તત્ત્વ નિર્ણય કરતાં પરિણામોની વિશુદ્ધતા થાય છે અને મોહના સ્થિતિ - અનુભાગ પણ ઘટે છે. પ્ર. ૧૩ઃ સમ્યગ્દર્શન પ્રગટન થવામાં નિમિત્તકારણ દર્શનમોહ છે અને ચારિત્ર પ્રગટન થવામાં નિમિત્તકારણ ચારિત્ર મોહ છે - તેનો અભાવ થયા વિના જીવ ધર્મ કેમ કરી શકે? માટે ધર્મ ન થવામાં જડ કર્મનો દોષ છે ને? ઉ.૧૩: ના, પોતાના ઊધા પુરુષાર્થનો જ દોષ છે. જો સવળા પુરુષાર્થપૂર્વક તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવે તો સ્વયમેય મોહનો અભાવ થાય છે અને મોહના ઉપાયનો પુરુષાર્થ બને છે; તેથી પ્રથમ જ