SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨ ઉ.૭: નિર્વિકલ્પ અનુભૂતિ કાળે આનંદનું વેદન છે પણ વિકલ્પ નથી. વિકલ્પમાં આવે છે ત્યારે ખ્યાલમાં આવે કે આનંદનો અનુભવ થયો છે પણ આનંદના અનુભવ કાળે આનંદને અનુભવું છું તેવો ભેદ નથી, વેદન છે. પ્ર. ૮: કેરીનો સ્વાદ આત્માને આવે છે તેમ આત્માના અનુભવનો સ્વાદ કેવો હોય ? ઉ.૮: કેરી તો જડ છે, જડ કેરીનો સ્વાદ આત્માને આવતો નથી. કેરીના મીઠા રસનું જ્ઞાન થાય છે અને કેરી ઠીક છે એવી મમતાના રાગનો દુઃખરૂપ સ્વાદઆત્માને આવે છે. આત્માના અનુભવનો જે અતીન્દ્રિય આનંદ આવે છે તે આનંદ વચનગોચર છે, અનુભવ ગમ છે. પ્ર. ૯ : અનુભૂતિમાં ને જ્ઞાનમાં ફેર શું છે? ઉ.૯: જ્ઞાનમાં તો આખો આત્મા જણાય છે અને અનુભૂતિમાં તો પર્યાયનું જવેદન આવે છે દ્રવ્યનું વેદન થતું નથી. પ્ર. ૧૦ઃ શાસ્ત્ર દ્વારા મનથી આત્મા જાગ્યો હોય તેમાં આત્મા જણાયો છે કે નહિ? ઉ. ૧૦ઃ એ તો શબ્દજ્ઞાન થયું, આત્મા જણાયો નથી. આત્મા તો આત્માથી જણાય છે. શુદ્ધ ઉપાદાનથી થયેલા જ્ઞાનમાં સાથે આનંદ આવે પણ અશુદ્ધ ઉપાદાનથી થયેલાં જ્ઞાનમાં સાથે આનંદ આવે નહિ અને આનંદ આવ્યા વિના આત્મા ખરેખર જાણવામાં આવતો નથી. ૮. મોક્ષમાર્ગ સંબંધી અગત્યના પ્રશ્નો: પ્ર. ૧ : ૧) કાળલબ્ધિ ૨) ભવિતવ્ય ૩) કર્મના ઉપશમાદિ (નિમિત્ત) ૪) પુરુષાર્થપૂર્વક ઉદ્યમ - આમાંથી ક્યા કારણ વડે મોક્ષનો ઉપાય બને છે? ઉ. ૧ : મોક્ષનો ઉપાય થવામાં પાંચ બાબતો એકી સાથે હોય છે, એટલે કે જીવ જ્યારે પોતાના જ્ઞાયક સ્વભાવ સન્મુખ થઈ પુરુષાર્થ કરે ત્યારે કાળલબ્ધિ, ભવિતવ્ય (નિયતિ) અને કર્મની ઉપશમાદિ અવસ્થા એ પાંચ બાબતો ધર્મ કરનારને એકી સાથે હોય છે. તેથી તેને પાંચ સમવાય (મેળાપ, એકઠાપણું) કહે છે. આ પાંચને સર્વાગી માનવા તે શિવમાર્ગ છે અને કોઈ એકને જ માનવું તે પક્ષપાત હોવાથી મિથ્યામાર્ગ છે. પ્ર. ૨ : કાળલબ્ધિ શું છે અને કયા દ્રવ્યમાં હોય છે? ઉ. ૨ઃ તે કોઈ વસ્તુ નથી પણ જે કાળમાં કાર્ય બને તેજકાળલબ્ધિ છે. તે છયે દ્રવ્યમાં દરેક સમયે હોય છે. બધાં જ દ્રવ્યો પોતપોતાના પરિણામરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ સામગ્રીને પામીને પોતે જ ભાવરૂપે પરિણમે છે. તેને કોઈ અટકાવી શકતું નથી. ૧) અહીં કાળાદિ લબ્ધિમાં કાળલબ્દિનો અર્થ સ્વકાળની પ્રાપ્તિ થાય છે. ૨) દ્રવ્ય સ્વભાવ સન્મુખ થયેલો વર્તમાન પુરુષાર્થ તે ક્ષણિક ઉપાદાન છે. ૩) (પર) કાળલબ્ધિ તે નિમિત્ત છે અને જો સ્વકાળ-લબ્ધિ ગણવામાં આવે તો તે ક્ષણિક ઉપાદાન છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy