SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૩ પ્ર. ૫ ત્યાગ તે જૈન ધર્મ છે કે નથી? ૧૧.૫ : સમ્યગ્દર્શનપૂર્વકનો જેટલે અંશે વીતરાગ ભાવ પ્રગટે તેટલે અંશે કષાયોનો ત્યાગ થાય છે તેને ધર્મ કહેવાય છે. સમ્યગ્દર્શનાદિ અતિરૂપ ધર્મ છે અને ત્યાં મિથ્યાત્વ અને કયાયનો ત્યાગ તે નાસ્તિરૂપ ધર્મ છે પણ સમ્યગ્દર્શન વિનાના ત્યાગથી ધર્મ નથી; જો મંદ કષાય હોય તો પુણ્ય થાય. પ્ર. ૬ : સ્થિરતા(ચારિત્ર)ને નજીકનો ઉપાય કેમ કહ્યો છે? ઉ. ૬: કારણ કે સમ્યગ્દર્શન-જ્ઞાન પણ મોક્ષનો ઉપાય છે, પરંતુ સમગ્દર્શન જ્ઞાનપૂર્વક સ્થિરતા મોક્ષનો સાક્ષાત્ ઉપાય છે. આ કારણથી સ્થિરતાને મોક્ષનો નજીકનો ઉપાય કહ્યો. સમ્યગ્દર્શન-જ્ઞાન પછી પણ સ્વરૂપમાં સ્થિરતા (ચારિત્ર) વગર મોક્ષ પ્રાપ્ત નથી થતો. પ્ર. ૭ઃ માર્ગની યથાર્થ વિધિનો કમ શું છે? ઉ. ૭ઃ આત્મા અચિંત્ય સામર્થ્યવાળો છે, તેમાં અનંત ગુણસ્વભાવ છે, તેની રુચિ થયા વિના ઉપયોગ પરમાંથી પલટીને સ્વમાં આવી શકતો નથી. પાપ ભાવોની રુચિમાં પડ્યા છે તેની તો શું વાત ! પણ પુણ્યની રુચિવાળા બાહ્ય ત્યાગ કરે, તપ કરે, દ્રવ્યલિંગ ધારણ કરે તો પણ શુભની રુચિ છે ત્યાં સુધી ઉપયોગ પર તરફથી પલ્ટીને સ્વમાં આવી શકતો નથી. માટે પહેલાં પરની રુચિ પલટાવવાથી ઉપયોગ પર તરફથી પલટીને સ્વમાં આવી શકે છે. માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે. ૧) પ્રથમ આત્માનો મહિમા આવવો જોઈએ.- પાન ! ૨) તેની રુચિ થવી જોઈએ. ૩) ઉપયોગનો પલ્ટો. ૪) ઉપયોગની એકાગ્રતા. ૫) સ્વાનુભૂતિ. - આ જ વિધિનો ક્રમ છે. પ્ર. ૮: પહેલાં અશુભ રાગ ટાળે ને શુભ રાગ કરે તો પછી શુદ્ધભાવ થાય તેવો તો ક્રમ છે ને ? ઉ. ૮ઃ એ કમ જ નથી. પહેલાં સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ. શુભ રાગથી સમ્યગ્દર્શન થાય નહિ. શુભ રાગ વિકારી ભાવ છે અને શુદ્ધભાવ નિર્વિકારી ભાવ છે. બન્ને વિરુદ્ધ ભાવ છે. વિકલ્પ કરતાં કરતાં નિર્વિકલ્પ સ્થિતિ થતી નથી. ભગવાન આત્માનો આશ્રય કરી તેમાં એકાગ્રતા કરતાં સમ્યગ્દર્શન પ્રગટે છે. હવે સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી એકદમ શુભ રાગ ટાળી શકાતો નથી તેથી પહેલાં અશુભ રાગને ટાળીને શુભ રાગમાં આવે છે, એ સાધકના કમની વાત છે. પ્ર.૯ : “રાગ-દ્વેષ તો ધર્મ નહિ અધર્મ છે એમ આપ કહો છો માટે જ્યાં રાગ-દ્વેષ હોય ત્યાં ધર્મનો અંશ પણ ન હોવો જોઈએ? ઉ.૯: નીચલી દશામાં સમજ્ઞાનની સાથે અલ્પ રાગ-દ્વેષ પણ હોય છે પણ જ્ઞાની જાણે છે કે તે અધર્મ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy