SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૧ ૨. સંયોગ અને સંયોગીભાવ બન્નેનો મારામાં ત્રિકાળ અભાવ છે. ૩. રાગાદિ ભાવોનો કર્તા અસ્થિરતા છે, હું નથી, હું તો માત્ર જ્ઞાતા છું. ૪. મારું સર્વસ્વ મારામાં છે, બહાર નથી. ૫. મારું કર્યત્વ મારામાં છે, બહાર નથી. ૬. મારું કર્તૃત્વ મારામાં છે, અન્યમાં નથી. ૭. હું તો ત્રિકાળ અભૂત, અનુપમ, અનંત પ્રભુતાથી સંપન્ન છું. ૮. હું માત્ર ચૈતન્ય છું, જડનથી. ૯. પરથી મારું એકત્વ થયું નથી, છે પણ નહિ અને થશે પણ નહિ. ૧૦. સંસારથી મુક્ત થવું શું? અનાદિથી મુક્ત જ છું. ૧૧. સંપૂર્ણ જગતનું પરિણમન સ્વતંત્ર છે, પછી મારું કર્તવ્ય શું? ૧૨. જડ શરીરનું પ્રાપ્ત થવું એ મારો જન્મ નથી અને છૂટી જવું એ મારું મૃત્યુ નથી. ૧૩. ઉત્પાદ-વ્યય જ મારું જન્મ-મરણ છે, તે પણ માત્ર પર્યાયનું, મારું નહિ. હું તો ધ્રુવ તત્ત્વ છું. ૧૪. હું તો અજર, અમર, જ્ઞાનાનંદ સ્વભાવી છું. ૧૫. અરિહંત અને સિદ્ધોની જેમ હમણાં પણ હું તો સુખસ્વભાવી છું..., “શરણા_ ૧૬. પર્યાયને જો સુખ પ્રગટ કરવું હોય તો મારું શરણ લે, અન્યથા પરના શસાથી દુઃખી જ છે. ૧૭. નરક, નિગોદમાં મને કોઈ નુકસાન નથી, સ્વર્ગમાં કોઈ લાભ નથી. ૧૮. હું તો એવી ચમત્કારી વસ્તુ છું જેનું ક્યારેય પણ કાંઈ બગડતું નથી. ૧૯. હું શાશ્વત અનંત સુખથી પરિપૂર્ણ ભરેલો પરમાત્મા છું. ૨૦. મારો સ્વભાવ જ્ઞાન છે, તથા જ્ઞાનનો સ્વભાવ મને જ જાણવો છે. ૨૧. ખરેખર તો હું મને જ સદાકાળ જાણવામાં, અનુભવમાં આવી રહ્યો છું. ૨૨. ઇન્દ્રિયજ્ઞાન વાસ્તવમાં જ્ઞાન નથી, જોય છે. ૨૩. ઈન્દ્રિયજ્ઞાન કર્મકૃત છે, હું અકૃત્રિમ છું. ૨૪. ઈન્દ્રિયજ્ઞાન પરાધીન છે, હું સ્વાધીન છું. ૨૫. ઇન્દ્રિયજ્ઞાન દુઃખરૂપ છે, હું સુખરૂપ છું. ૨૬. ઈન્દ્રિયજ્ઞાન વિનાશી છે, હું અવિનાશી છું. ૨૭. ઇન્દ્રિયજ્ઞાન મારું સ્વરૂપ નથી, કારણ કે હું તો અતીન્દ્રિય છું. ૨૮. જગતમાં મારા માટે મારાથી અદ્ભૂત ચમત્કારી નિધિ બીજી કોઈ નથી.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy