________________
૪૮૦ ૪. આ સાતિશય ઉપયોગનું બળ એવું છે કે રાગથી પોતે જુદો પડીને, તેનાથી આઘો ઊડે ઊંડે જઈને
પોતાના સમ્યક સ્વભાવને પકડી લેશે, તે શુભ રાગમાં અટકી નહિ રહે. ૫. આવો બળવાન સાતિશય ઉપયોગ આત્માને સાધે છે. સમ્યકત્વ કરાવે છે. આત્મઅનુભવ કરાવે છે.
આવા સ્વાનુભવની આ ભાવના છે. ૨૦“અનુભવ મારગ મોક્ષકા.... અનુભવ મોક્ષ સ્વરૂપ”: ૧. આત્માનો પરમ પ્રેમે કરીને અપાર અચિંત્ય મહિમા જાણતાં ઉપયોગ આત્મસન્મુખ થયો ત્યારે
સ્વાનુભવ થયો. તેમાં નિર્વિકલ્પતા છે. આવી દશામાં સમ્યકત્વ ઉપન્યું. અપૂર્વ મહા આનંદ થયો. સર્વ ગુણનો મીઠો રસ આ અનુભવમાં સમાઈ જાય છે. નિર્વિકલ્પ સ્વાનુભવરસની ધારા વધતાં
મોક્ષ પ્રગટે છે. ૨. હે ભવ્ય ! તું એક વાત સાંભળ! તું હવે સ્વાનુભવ કરી લે. સ્વાનુભવ તે સ્વસમય છે, તે જ જીવનું
જીવન છે. અનુભવમાં જ શાંતિ છે. તેમાં જ તૃમિ છે. તે જ મોક્ષમાર્ગ છે ૩. સ્વાનુભવ જેવું સન્માન બીજાં કાંઈ નથી. એ સ્વાધીનપણે કરાતું સત્કાર્ય છે. તે અત્યંત સુંદર છે. ૪. વાહ રે વાહ! તું જો તો ખરો, વિચાર તો ખરો કે જે સ્વાનુભવની ચર્ચામાં તને આવી મજા આવે છે
તે સ્વાનુભવનો સાક્ષાત આનંદ કેવો મજાનો હશે !! આવો સ્વાનુભવ શીઘ કર. અને સ્વાનુભવ
કરીને એ અનુભવનો ઉદ્યમ રાખ્યા કર. ૫. મતિ-શ્રુતજ્ઞાનની સ્વસમ્મુખ ધારા વધતાં સ્વસંવેદનરસ વધતો જાય છે, આ રીતે સ્વાનુભવ તે
અનંતસુખનું મૂળ છે. ૬. સ્વાનુભૂતિમાં સિદ્ધ પરમાત્મા અને આત્મા વચ્ચે કોઈ જ તફાવત દેખાતો નથી. ૭. સ્વાનુભવથી ઊચું પદ જગતમાં કોઈ નથી, એના જેવું ઉત્તમ કાર્ય બીજું કોઈ નથી. સ્વાનુભવનો મહિમા અનંત છે.
સ્વાનુભવનો આનંદ સિદ્ધ ભગવાન જેવો છે. પરમેશ્વરના અનંત ગુણની જે વિશેષતા છે તે બધી વિશેષતા અનુભવમાં સિદ્ધ થઈ જાય છે.
બાવા સ્વાનુભવની ભાવના નિરંતર ભાવવી જોઈએ. સાર અધ્યાત્મ ધારા : બધી બાજુથી નિશ્ચિત થઈને કોલાહલ રહિત નિર્વિદન સ્થળમાં શાંતિથી બેસીને, દઢ નિશ્ચય કરો કે નિજાત્માને ભૂલીને હું દુઃખી છું અને તેની ઓળખાણ-અનુભવ કરીને હું મારું સુખ પ્રગટ કરી શકું છું. થોડાક બિંદુઓ પર દ્રવ્યદૃષ્ટિથી ગંભીરતાપૂર્વક અંતર્મુખી ચિંતન કરવા જેવું છે, ભાવના કરવા જેવી છે. ૧. હું જ્ઞાયક સમસ્ત શેયોથી અત્યંત ભિન્ન અને અપ્રભાવી શાશ્વત દ્રવ્ય છું.