________________
૪૫૮ ૩. આત્મસ્વરૂપનું જાણવું એ સમ્યજ્ઞાન છે. ૪. આત્મા અને અનાત્માનું સંશય, વિપર્યય અને અનધ્યવસાય રહિત જે જ્ઞાન છે તે સમ્યજ્ઞાન છે. સમજ્ઞાન - સમ્યગ્દર્શનની પ્રતિજ્ઞા છે કે - “મને ગ્રહણ કરવાથી, ગ્રહણ કરવાવાળાની ઇચ્છા ન હોય તો પણ મારે એને ફરજીયાત મોક્ષ લઈ જવો પડે છે. તેથી મને ગ્રહણ કરતાં જો એ વિચાર કરે કે મોક્ષ જવાની ઇચ્છા બદલી દઇશું તો પણ એનું કાંઇ ચાલશે નહિ - મને ગ્રહણ કર્યા પછી મારે એને મોક્ષ પહોંચાડવો પડશે. કદાચતિ તે મને છોડી દઈને મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રમાદથી પ્રબળ મોહને ધારણ કરે તો પણ અર્ધ પુદ્ગલ પરાવર્તનની અંદર મરે એને મોક્ષ પહોંચાડી દેવો જોઈએ, એવી મારી પ્રતિજ્ઞા છે.” સર્વજ્ઞ સ્વભાવ: આત્માની અનંત શક્તિઓમાંથી ‘સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ એવી બે શક્તિઓના પૂર્ણ શુદ્ધ પર્યાય થતાં આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી થાય છે, તેમાં સર્વજ્ઞ સ્વભાવ વડે જગતના સર્વ દ્રવ્યો, તેના અનંત ગુણો, અનાદિ અનંત પર્યાયો, અપેક્ષિત ધર્મો અને તેના અવિભાગ પ્રતિષ્ઠદો - એ બધાને યુગપ એક સમયે જાણે છે અને તે જ્ઞાનમાં કાંઈ પણ અજાણ્યું રહેતું નથી, તેથી સિદ્ધ થાય છે કે દરેક દ્રવ્યના પર્યાય ક્રમબદ્ધ થાય છે, કોઈ પણ પર્યાય આડા-અવળા થતાં નથી.
પ્રથમાનુયોગ શાસ્ત્રોમાં શ્રી તીર્થકર ભગવાનોએ તથા શ્રી કેવળી ભગવાનોએ ઘણા જીવોના ભૂતભાવી પર્યાયો સ્પષ્ટપણે જણાવેલ છે તથા અવધિજ્ઞાની મુનિઓએ પણ ઘણા જીવોના ભૂત-ભાવી ભવોની વાતો કહી છે. તેથી દરેક દ્રવ્યના પર્યાયો ક્રમબદ્ધ હોય છે એમ માનવામાં આવે નહિ તો તે શાસ્ત્રો ખોટાં પડે.
કોઈ કહે છે કે ભગવાન અપેક્ષિત ધર્મને ન જાણે, ભવિષ્યના પર્યાય પ્રગટ થયા નથી માટે તે સામાન્યપણે જાણે પણ વિશેષપણે જાણી શકે નહિ; વળી કોઈ કહે છે કે જો ભગવાન ભૂત-ભાવી સ્પષ્ટ જાણતા હોય તો મારો પહેલો પર્યાય ને છેલ્લો પર્યાય ક્યો? તો કહી દો. એ પ્રમાણે અનેક જુઠી માન્યતાઓ ચાલી રહી છે, વળી ભગવાને બધું જાણી લીધું હોય તો જીવોએ કોઈ પુરુષાર્થ કરવો રહેતો નથી તેવી ઊંધી માન્યતાઓ પણ કેટલાક ધરાવે છે. પરંતુ જે જીવ સ્વસમ્મુખ થઈ પોતાના સ્વરૂપનો જ્ઞાતા થાય તેને ક્રમબદ્ધ પર્યાયનો યથાર્થ નિર્ણય થઈ શકે; અને તેવો નિર્ણય યથાર્થ પુરુષાર્થ વિના થતો નથી એ વાત તેમને લક્ષમાં આવતી નથી. તેથી આત્માનો મૂળ જ્ઞાતા સ્વભાવ તેમના જાણવામાં નહિ આવતો હોવાથી ગમો અરિહંતાણં' પદનો પણ સત્ય અર્થ જાણી શકતા નથી અને આત્મસ્વભાવના અજ્ઞાત રહે છે.
વસ્તુનો સ્વભાવ એવો છે કે તેમાં ક્રમબદ્ધ પર્યાય થાય જ, તથા કેવળજ્ઞાની પણ વસ્તુસ્વભાવના પરિપૂર્ણ જ્ઞાતા છે. તેમના જ્ઞાનમાં બધું જાણવામાં આવેલ હોવાથી દરેક દ્રવ્યની ક્રમબદ્ધ પર્યાય થાય છે એમ માન્યા વગર કેવળજ્ઞાનનું સ્વરૂપ યથાર્થપણે જાણવામાં આવતું નથી, માટે દરેક દ્રવ્યના પર્યાય ક્રમબદ્ધ થાય છે તેમ જિજ્ઞાસુએ નક્કી કરવું જોઈએ.