SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ ૭) અનેકાન્ત એકેક વસ્તુમાં અસ્તિ-નાસ્તિ આદિ બે વિરુદ્ધ શક્તિઓ બતાવે છે. એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી બે વિરુદ્ધ શક્તિઓ થઈને જ તત્ત્વની પૂર્ણતા છે. એવી બે વિરુદ્ધ શકિતઓનું હોવું તે વસ્તુનો સ્વભાવ છે. ૫. મુમુક્ષુનું કર્તવ્ય : અત્યારે આ પંચમકાળમાં આ કથનીને સમજનાર સભ્યજ્ઞાની ગુરુનું નિમિત્ત સુલભ નથી, પણ જ્યાં મળી શકે ત્યાં તેમની પાસેથી મુમુક્ષુએ આ સ્વરૂપ સમજવું; અને જ્યાં ન મળી શકે ત્યાં શાસ્ત્ર સમજવાનો નિરંતર ઉદ્યમ રાખીને આ સમજવું. આના આશ્રયે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. માટે આ યથાર્થ સમજવું. સત્ શાસ્ત્રનું શ્રવણ કરવું, પઠન કરવું, ચિંતન કરવું, ભાવના કરવી, ધારવું, હેતુ-યુક્તિ વડે નય વિવક્ષા સમજવી. ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ સમજવું અને વસ્તુના અનેકાન્ત સ્વરૂપનો નિશ્ચય કરવો. તે સમ્યગ્દર્શન પ્રાપ્તિનું મુખ્ય કારણ છે તેથી મુમુક્ષુ જીવોએ તેનો ઉપાય નિરંતર કરવા યોગ્ય છે. ૬. સભ્યજ્ઞાન સંબંધી પ્રયોજનભૂત : ૧) છ દ્રવ્ય સ્વરૂપ આ લોક છે. ૨) આ છ દ્રવ્યોમાં સમયે સમયે પરિણમન થાય છે, તેને પર્યાય (હાલત, અવસ્થા) કહેવાય છે. ૩) ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ ચાર દ્રવ્યોના પર્યાય તો સદાય શુદ્ધ જ છે; બાકીના જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યોમાં શુદ્ધ પર્યાય હોય છે અથવા અશુદ્ધ પર્યાય પણ હોઇ શકે છે. ૪) જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યોમાંથી પણ પુદ્ગલ દ્રવ્યમાં જ્ઞાન નથી, તેનામાં જાણપણું નથી અને તેથી તેનામાં જ્ઞાનની ઊંધાઈરૂપ ભૂલ નથી; માટે પુદ્ગલને સુખ કે દુઃખ હોતાં નથી. સાચા જ્ઞાન વડે સુખ અને ઊંધા જ્ઞાન વડે દુઃખ થાય છે, પરંતુ પુદ્ગલ દ્રવ્યમાં જ્ઞાનગુણ જ નથી, તેથી તેને સુખ-દુઃખ નથી; તેનામાં સુખ ગુણ જ નથી. આમ હોવાથી પુદ્ગલ દ્રવ્યને તો અશુદ્ધ દશા હો કે શુદ્ધ દશા હો, બન્ને સમાન છે; શરીર પુદ્ગલ દ્રવ્યની અવસ્થા છે માટે શરીરમાં સુખ-દુઃખ થતાં નથી. શરીર નિરોગી હો કે રોગી હો, તે સાથે સુખ-દુઃખનો સંબંધ નથી. ૫ હવે બાકી રહ્યો જાણનારો જીવ. આ એક જીવ દ્રવ્ય જ જ્ઞાનસામર્થ્યવાન છે. જીવમાં જ્ઞાનગુણ છે અને જ્ઞાનનું ફળ સુખ છે. તેથી જીવમાં સુખ ગુણ છે. જો સાચું જ્ઞાન કરે તો સુખ હોય, પરંતુ જીવ પોતાના જ્ઞાનસ્વભાવને ઓળખતો નથી અને જ્ઞાનથી જુદી અન્ય વસ્તુઓના સુખની કલ્પના કરે છે. આ તેના જ્ઞાનની ભૂલ છે. તેને લીધે દુઃખ છે. અજ્ઞાન એ જીવનો અશુદ્ધ પર્યાય છે, તે દુઃખ હોવાથી તે દશા ટાળીને સાચા જ્ઞાન વડે શુદ્ધ દશા પ્રાપ્ત કરી શકાય છે. માટે જ્ઞાન સમ્યક્ કેમ થાય એ જ સમજાવવામાં આવે છે. ૨૦ સમ્યગ્દષ્ટિ જીવ : ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સંયોગી જિન સ્વરૂપ. આત્મ સ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy