________________
૨૫
ગુરુજનો દ્વારા કહેલું જે તત્ત્વોનું સ્વરૂપ તેને નિશ્ચલભાવથી ગ્રહણ કરે છે, અન્ય ભાવના છોડી નિરંતર તેને જ ભાવે છે તે પુરુષ તત્ત્વને જાણે છે.’
૩) તત્ત્વ અભ્યાસ માટે પૂ. ગુરુદેવશ્રી કહે છે : “કોઈને ફાંસીનો ઓર્ડર થયો હોય અને ફાંસી આપવાની રૂમમાં લઈ જાય અને પછી કેવો ધ્રુજવા માંડે ! તેમ સંસારના દુઃખથી જેને ત્રાસ થઈ ગયો હોય એને માટે આ તત્ત્વની વાત છે.’’
""
નવ
૪) આત્મજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્ર તત્ત્વ અભ્યાસની અગત્યતા ઉપર ભાર મૂકતાં લખ્યું છે ઃ તત્ત્વનું કાળભેદે જે સત્પુરુષો ગુરુગમ્યતાથી શ્રવણ, મનન, અને નિદિધ્યાસનપૂર્વક જ્ઞાન કરે છે, તે સત્પુરુષો મહા પુણ્યશાળી તેમજ ધન્યવાદને પાત્ર છે. પ્રત્યેક સુજ્ઞ પુરુષોને મારો વિનયભાવ ભૂષિત એ જ બોધ છે કે નવ તત્ત્વને સ્વબુદ્ધિ અનુસાર યથાર્થ જાણવા.’
""
૫) પં. આશાધરજી ‘સાગર ધર્મામૃત’માં લખે છે ઃ ‘આ ભરતક્ષેત્રમાં કળિકાળ પંચમકાળરૂપી વર્ષાકાળમાં મિથ્યાદષ્ટિઓના ઉપદેશરૂપી વાદળાઓથી સદ્ઉપદેશરૂપી સર્વ દિશાઓ ઢંકાઈ ગઈ છે. તેમાં યથાર્થ તત્ત્વોના ઉપદેશક આગિયાની જેમ ક્યાંક ક્યાંક દેખાય છે.’’
૬) બધા જ પરમાગમોનું અવલોકન કરતાં એ જણાય છે કે આચાર્યોએ ધર્મોપદેશ માટે બધા તત્ત્વોના જ અધિકાર લખ્યા છે. એ જ તત્ત્વ અભ્યાસનું મહત્ત્વ બતાવે છે.
૭) સાત તત્ત્વો જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ કહેવા પાછળનું પ્રયોજન શું હોઈ શકે ?
(૧) જેની દશાને અશુદ્ધમાંથી શુદ્ધ કરવી છે તેનું નામ પ્રથમ દેખાડવું જોઈએ તેથી ‘જીવ’ તત્ત્વ પ્રથમ કહ્યું.
(૨) પછી જે તરફના લક્ષે અશુદ્ધતા અથવા વિકાર થાય છે તેનું નામ આપવું જરૂરી છે તેથી બીજું ‘અજીવ’ તત્ત્વ કહ્યું.
(૩) અશુદ્ધદશાના કારણ - કાર્યનું જ્ઞાન કરાવવા માટે ‘આસવ’ અને ‘બંધ’ તત્ત્વ કહ્યાં.
(૪) એ કહ્યા પછી મુક્તિનું કારણ કહેવું જોઈએ; અને મુક્તિનું કારણ તે જ થઈ શકે કે જે ‘બંધ’ અને તેના કારણથી ઉલટા પ્રકારે હોય; તેથી ‘આસવ’નો નિરોધ થવો તે ‘સંવર’ તત્ત્વ કહ્યું. અશુદ્ધતા વિકારના નીકળી જવાના કાર્યને ‘નિર્જરા’ તત્ત્વ કહ્યું.
(૫) જીવ અત્યંત શુદ્ધ થઈ જાય એ દશા ‘મોક્ષ’ તત્ત્વ છે.
આ તત્ત્વો સમજવાની અત્યંત જરૂર છે. તેને સમજવાથી જીવ મોક્ષ ઉપાયમાં લાગી શકે છે. ૨. બોધિ દુર્લભત્વ ઃ
૧) આ જીવ સંસારમાં અનાદિકાળથી માંડી અનંતકાળ તો નિગોદમાં રહે છે. ત્યાંથી નીકળી પૃથ્વીકાયાદિ પર્યાય ધારણ કરે છે. એ પર્યાયો પામવી દુર્લભ છે.