SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ 3 સમ્યગ્દર્શન - વિષયોની રૂપરેખા સૂત્ર ૧. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યગ્વારિત્રની એકતાથી મોક્ષમાર્ગ બને છે. અનુભૂતિના સ્વાદ માટે નીચેના વિષયોનો અભ્યાસ આવશ્યક છે. ૧. જૈન દર્શનનું સમ્યક સ્વરૂપ. ૨. વિશ્વ વવસ્થા (છ દ્રવ્ય). ૩. વસ્તુ વ્યવસ્થા (દ્રવ્ય-ગુણ-પર્યાય). ૪. ક્રમબદ્ધ પર્યાય. ૫. ઉપાદાન અને નિમિત્ત. ૬. દ્રવ્યની સ્વતંત્રતા. ૭. નિશ્ચય અને વ્યવહાર. ૮. નય ચક. ૯. ભગવાન આત્મા (જ્ઞાયક ભાવ). ૧૦. પાત્રત . ૧૧. સત્પરુપના પ્રત્યક્ષ યોગનું મહત્ત્વ. ૧૨. સ્વરૂપનો યથાર્થ નિર્ણય. ૧૩. ભેદજ્ઞાન. ૧૪. બાર ભાવના. ૧૫. ધર્મના દસ લક્ષણ. ૧. સાત તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ ૧. તત્ત્વ અભ્યાસનો મહિમા ૧) દુઃખનું મૂળ કારણ આત્મભ્રાંતિ છે, મિથ્યાત્વ છે, વિપરીત માન્યતા છે. આત્મભ્રાંતિ દૂર થવી એનું જ નામ સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શનનું પ્રધાન કારણ તત્ત્વ અભ્યાસ છે, તત્ત્વાર્થ શ્રદ્ધાન છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ધોરી માર્ગ તત્ત્વાભાસ છે. ૨) તત્વજ્ઞાનનું મહત્ત્વ સમજાવતાં શ્રી કાર્તિક સ્વામી કહે છે : “જગતમાં તત્ત્વને કોઈ વિરલા પુરુષ સાંભળે છે, સાંભળીને પણ તત્ત્વને યથાર્થરૂપ વિરલા જ જાણે છે, જાણીને પણ તત્ત્વની ભાવના અર્થાત પુનઃ પુનઃ અભ્યાસ વિરલા જ કરે છે તથા તત્ત્વની ધારણા તો વિરલાઓને જ હોય છે. વળી જે પુરુષ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy