________________
૩. સમજ્ઞાની પુરુષનો ઉપદેશ સાંભળવા ઉપરથી પાત્ર જીવોને આત્માનું યથાર્થ જ્ઞાન થઈ શકે છે તે
અપેક્ષાએ તેને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. ૪. રૂઢિના બળથી પણ મતિપૂર્વક થતાં આ વિશેષ જ્ઞાનને “શ્રુતજ્ઞાન” કહેવામાં આવે છે. ૫. શ્રુતજ્ઞાનના દષ્ટાંતો : ૧) સદગુરુનો ઉપદેશ સાંભળી, આત્માનું યથાર્થ જ્ઞાન થવું - તેમાં ઉપદેશ
સાંભળવો તે મતિજ્ઞાન છે, પછી વિચાર કરી આત્માનું જ્ઞાન પ્રગટ કરવું તે શ્રુતજ્ઞાન છે. ૨) ધુમાડાથી અગ્નિનું ગ્રહણ કરવું - તેમાં ધૂમાડો આંખે દેખી જ્ઞાન થવું તે મતિજ્ઞાન છે અને ધૂમાડા ઉપરથી અગ્નિનું અનુમાન કરવું તે શ્રુતજ્ઞાન છે. ૩) એક માણસ “વહાણ” એવો શબ્દ સાંભળે છે, તે મતિજ્ઞાન છે. પૂર્વે વહાણના ગુણો સાંભળ્યા અથવા વાંચ્યા હતા તે સંબંધી (વહાણ’ શબ્દ સાંભળી) જે વિચારો ઉત્પન્ન કરે છે તે વિચારો
શ્રુતજ્ઞાન છે. ૬. મતિજ્ઞાન દ્વારા જાણેલાં વિષયનું અવલંબન લઈ જે ઉત્તર તર્કણા (બીજા વિષય સંબંધી વિચારો)
જીવ કરે છે તે શ્રુતજ્ઞાન છે. ૭. શ્રુતજ્ઞાનતે જ્ઞાનગુણનો પર્યાય છે, તે થવામાં મતિજ્ઞાન નિમિત્ત માત્ર છે. શ્રુતજ્ઞાન પહેલાં જ્ઞાનગુણનો
મતિજ્ઞાન રૂપ પર્યાય હોય છે. મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન અધિક વિશેષ હોય છે. ૮. શ્રુતજ્ઞાન એકવાર થયા પછી વિચાર લંબાય ત્યારે બીજું શ્રુતજ્ઞાન મતિજ્ઞાન વચ્ચે આવ્યા વિના પણ
ઉત્પર થાય છે. ૯. શ્રુતજ્ઞાનમાં તારતમ્યતાની અપેક્ષાએ ભેદ પડે છે; અને તેમાં નિમિત્તમાં પણ ભેદ પડે છે. ભાવકૃત
અને વ્યશ્રુત એવા બે ભેદ છે. ભાવકૃતને ભાવાગમ પણ કહી શકાય છે. એમાં દ્રવ્યઆગમ નિમિત્ત
હોય છે. ૧૦ સમ્યક અને મિથ્યા એવા બે ભેદ નહિ લેતાં, સામાન્ય મતિ-શ્રુતજ્ઞાનનો વિચાર કરીએ તો દરેક
છદ્મસ્થ જીવને મતિ અને શ્રુતજ્ઞાન હોય છે. સ્પર્શ વડે કોઈ વસ્તુનું જાણવું થયું તે મતિજ્ઞાન છે; અને તેના સંબંધે “આ હિતકારી નથી' ઇત્યાદિ જ્ઞાન થવું તે શ્રુતજ્ઞાન છે, તે અનક્ષરાત્મક શ્રુતજ્ઞાન છે.
એકન્દ્રિયાદિક અસંજ્ઞી જીવોને અક્ષરાત્મક શ્રુતજ્ઞાન જ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને અક્ષરાત્મક અને અનક્ષરાત્મક બન્ને પ્રકારનું શ્રુતજ્ઞાન હોય છે. ૧૧. મતિ અને શ્રુતજ્ઞાન - ક્ષાયોપથમિક જ્ઞાન(ઊઘાડ)ની યોગ્યતાને અનુસરીને જ્ઞાન થાય છે; જ્ઞાન
થવાનું એક કારણ છે. જ્ઞાનના તે ઉઘાડને અનુસરીને આ જ્ઞાન થાય છે, વસ્તુને અનુસરીને થતું નથી,
તેથી વસ્તુ જ્ઞાન થવામાં નિમિત્તકારણ નથી એમ સમજવું. ૧૨. જો મતિ અને શ્રુત બન્ને માત્ર પરોક્ષ જ હોત તો સુખ-દુઃખાદિનું જે સંવેદન (જ્ઞાન) થાય છે તે પણ
પરોક્ષ હોત, પણ તે સંવેદન પ્રત્યક્ષ છે, એમ દરેક જાણે છે.